કરણીસેના બાદ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ ફિલ્મના નામને લઇને આપત્તિ જતાવી છે. સંગઠને ફિલ્મનું નામ પૃથ્વીરાજથી બદલીને હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ કરી દેવાની માગ કરી છે.
વધી રહ્યો છે વિવાદ
અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ ચંદીગઢના સેક્ટર 45માં પ્રદર્શન કર્યુ હતુ. પ્રદર્શન દરમિયાન અક્ષય કુમાર અને ડાયરેક્ટર ચંદ્રપ્રકારશનું પુતળુ સળગવ્યુ હતુ. સંગઠને એ પણ કહ્યું કે, રિલીઝ થતા પહેલા તેમને ફિલ્મ બતાવવામાં આવે અને જો આવું નહી કરે તો પદ્માવત અને જોધા અકબર જેવો વિરોધનો સામનો કરવો પડશે.
કરણીસેનાએ જતાવી આપત્તિ
આ પહેલા ફિલ્મના નામને લઇને કરણીસેનાએ આપત્તિ જતાવી હતી. કરણીસેનાના યુવા અધ્યક્ષ સુરજીત સિંહે કહ્યું કે તે ફિલ્મનું નામ માત્ર પૃથ્વીરાજ કેવી રીતે રાખી શકે છે જ્યારે ફિલ્મ મહાન પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. અમે ઇચ્છીએ છીએ કે ફિલ્મનું નામ પૂર્ણ રાખવામાં આવે અને તેમને સન્માન આપે.
ફિલ્મમાં આ છે કલાકાર
યશરાજ બેનરની ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીમાં પત્યુ છે. ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. અક્ષય કુમાર સિવાય આ ફિલ્મમાં માનુષી છીલ્લર, સંજય દત્ત, સોનૂ સૂદ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મથી માનુષી ડેબ્યુ કરી રહી છે.