સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બની વિવાદોનું ઘર
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ
યુનિ.ના સિન્ડિકેટ સભ્યએ ઉઠાવ્યા સવાલ
ગુજરાતની પ્રતિષ્ટિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું પર્યાય બની હોય તેવું લાગી રહ્યું છે. હજુ યુનિવર્સિટીમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીના પડઘા શાંત થયા નથી ત્યાં બીજો વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીમાં જુનિયર એન્જિનિયરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે.
સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બની વિવાદોનું ઘર
બાંધકામ સમિતિના નિષ્ણાંત તરીકે આશિષ ઉપાધ્યાયની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે આશિષ ઉપાધ્યાય ડેપ્યુટી એન્જીનિયર તરીકે પણ કામ કરે છે. ત્યારે આશિષ ઉપાધ્યાય મેજરમેન્ટ બુકની ચકાસણી કરી પોતે જ મંજૂરી આપશે અને મંજૂરી બાદ પોતે જ પેમેન્ટ પણ આપશે. આમ આ સમગ્ર પ્રક્રિયા અંગે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડૉ.નિદત બારોટે સવાલ ઉઠાવતા વિવાદ સર્જાયો છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ
જોકે વિવાદના વંટોળ ઉઠતા સમગ્ર માલમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણીએ નિવેદન આપતા જણાવ્યું કે આશિષ ઉપાધ્યાયની નિમણૂંક ઈન્ટર્વ્યૂની પ્રક્રિયા બાદ કરાઈ છે. આશિષ ઉપાધ્યાએ અગાઉ 8 વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્જિયર તરીતે સેવા આપી છે. વધુમાં ઉપકુલપતિએ જણાવ્યું છે કે નિષ્ણાંત તરીકે કુલપતિએ જે-તે સમયે નિમણૂંણ કરી હતી. ત્યારે આશિષ ઉપાધ્યાયને કર્મચારી તરીકે રાખ્યા છે તો હવે જુનિયર એન્જિ. કે ડેપ્યુટી એન્જિ.ને બાંધકામ સમિતિમાં રાખાય કે નહીં તે અભિપ્રાય લેવાશે અને લીગલ વિભાગ પાસે અભિપ્રાય લઇ આગળની કાર્યવાહી કરીશું તેવું ઉપકુલ પતિએ જણાવ્યું છે.