વડોદરામાં M.S યુનિ.માં કોમર્સના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. બીજા અને ત્રીજા સેમેસ્ટરનુ રિઝલ્ટ જાહેર નથી થયું.જેના કારણે 18,000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદરામાં M.S. યૂનિમાં વિવાદના મંડાણ
કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાના નિર્ણયનો વિરોધ
આગળના પરિણામ વગર જ પરીક્ષા જાહેર
વડોદરાની મહારાજા સયાજીરાવ યૂનિ.માં મોટા ભાગે વિધાર્થીઓ અને સતાધીશો આમને-સામને રહેતા હોય છે. કોઈને કોઈ મુદ્દે વિધાર્થીઓનો જવાબદાર તંત્ર સામે વિરોધ હોય જ છે.ત્યાં વળી હવે કોમર્સ વિભાગની પરીક્ષાના મુદ્દે વહીવટીય વિભાગ અને વિધાર્થીઓ આમને-સામને આવી ગયા છે. હજુ લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર નથી થયા ત્યાં જ એક્સ્ટર્નલ એક્ઝામ અચાનક જાહેર કરી દેવાતા પણ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ અભ્યાસક્રમ પણ પૂર્ણ થયો નથી. જો કે ફેકલ્ટી ડીને ભૂલ સ્વીકારી છે અને ઘટતું કરવા બાહેધરી પણ આપી છે. જો યોગ નહિ થાય તો વિધાર્થીઓ ઉગ્ર આંદોલનના મૂડ માં છે.
શું છે વિવાદનો મુદ્દો ?
વડોદરામાં M.S યુનિ.માં કોમર્સના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે . બીજા અને ત્રીજા સેમેસ્ટરનુ રિઝલ્ટ જાહેર નથી થયું. જેના કારણે 18,000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. આ સાથે જ એક્સ્ટર્નલ એક્ઝામ અચાનક જાહેર કરી દેવાતા પણ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.. હજુ સુધી અભ્યાસ ક્રમ પૂર્ણ થયો નથી અને પરિક્ષા યોજાઇ..45 દિવસના સમયગાળાના બદલે 29 દિવસ અગાઉ જ પરીક્ષા જાહેર કરાઈ. આખા મામલે M.S યુનિ. કોમર્સ ફેક્લટીના ડીને ભુલ સ્વીકારી કહ્યું કે ઉચ્ચ અધ્યાપકો સાથે ચર્ચા કરી નિરાકરણ લાવીશું. આ સાથે વિદ્યાર્થીઓએ કહ્યું કે નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરીશું