સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ દિવસ જાય તેમ ઉગ્ર બની રહ્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિર આસ્થાને બદલે વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી જે માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. ત્યારે હવે ફરી એકવાર ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધસ્વામીનું જૂથ સામ સામે આવી ગયુ છે
હરિધામમાં 1 એપ્રિલે કીર્તન આરાધનાનો કાર્યક્રમ
ત્યારે પ્રબોધ સ્વામીના સમર્થકો દ્વારા 1 એપ્રિલે કીર્તન આરાધનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 11 પ્રદેશમાંથી પ્રબોધ સ્વામી જૂથના 6400 હરિભક્તો જોડાશે. મહત્વનું છે કે, પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ વહીવટ પર પકડ જમાવવા જોર લગાવી રહ્યુ છે. બીજી તરફ પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ તંત્રને દરમિયાનગીરી કરવા અરજી પણ કરવામાં આવી છે
શું છે સોખડા ગાદીનો વિવાદ ?
સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી. પ્રબોધ સ્વામી ગ્રુપના સંતોને મંદિરના સફાઇ સેવક બનાવી દીધા છે. વહીવટ પર પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનું શાસન છે. જેને લઇને હવે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ ચાલી રહી છે. યોગી ડિવાઇન સોસાયટી હોદ્દેદારો પણ મામલો ઉકેલવામાં અસમર્થ રહ્યા. ગાદી મેળવવાનો ખેલ મંદિર ટ્રસ્ટની કરોડોની સંપત્તિ જવાબદાર છે. દેશ-વિદેશના હરિભક્તોના દાનથી સોખડા મંદિરનું નિર્માણ થયું છે. સંતોના બે જૂથની જેમ હરિભક્તો પણ બે જૂથમાં વહેંચાયા છે. સોખડા ગાદીનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે. હરિપ્રસાદ સ્વામીની હયાતીમાં મંદિરના પગથીયા ઘસતા નેતાઓએ પણ રસ્તો બદલ્યો. એકપણ નેતા વિવાદ ઉકેલવામાં નથી લઈ રહ્યાં રસ. ગાદી મેળવવા 2 જૂથના શક્તિપ્રદર્શન કરી રહ્યા છે.