અવાર-નવાર વિવાદોમાં આવતી રહેતી સંસ્કારી નગરીની MS યુનિવર્સિટી પુનઃ એક વિવાદમાં સપડાઈ છે.
MS યુનિવર્સિટીમાં ફરી વિવાદ સપડાઈ
હિન્દુ દેવી-દેવતાઓના અશોભનીય કટઆઉટ લઈને વિરોધ
સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ કર્યો વિરોધ
પરિસ્થિતીને કાબૂ કરવા યુનિ.માં પોલીસ બોલાવાઇ
વડોદરાની MS યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભારે બબાલ
સંસ્કારી નગરી વડોદરની MS યુનિવર્સિટી પુનઃ એક મોટા વિવાદોમાં ફસાઈ છે. MS યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય કટાઉટ ડિસ્પ્લે કરાયા બાદ ABVP, હિન્દુ સંગઠનો અને ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ વચ્ચે મોટી બબાલ થવા પામી હતી.
M.S યુનિવર્સિટીમાં બબાલ શેની છે?
તાજેતરમાં M.S યુનિવર્સિટીમાં ફાઇન આટ્સ વિભાગમાં એક આર્ટ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ન્યૂઝ પેપરમાંથી દેવી દેવતાના કટ આઉટ ડિસપ્લેમાં રખાયા હતાં. જેમાં દેવી દેવતાના કટ આઉટમાં બેકગ્રાઉન્ડમાં દુષ્કર્મના ન્યૂઝ રાખવામાં આવ્યા હતાં. જેમાં જૂદા-જુદા ભગવાનના કટ આઉટમાં દુષ્કર્મ કેસના ન્યૂઝ હતાં. મહત્વનું છે કે, ફાઇન આર્ટસના વિદ્યાર્થી દ્રારા આ કટ આઉટનું પ્રદર્શન થયું હતું. દેને લઈને સિન્ડિકેટ સભ્ય તેમજ વિદ્યાર્થી પંખના નેતાઓ દ્વારા ફાઇન આર્ટ ફેકલ્ટી સામે વિરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કટ આઉટમાં દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ જાણી જોઇને કરાયો હતો.
મામલો ઠાળે પાડવા MS યુનિવર્સિટીમાં પોલીસ બોલાવાઈ
બીજી બાજુ આ મામલે ફેકલ્ટીના ડીનને સિન્ડીકેટ સભ્ય હસમુખ વાઘેલા ABVP, હિન્દુ સંગઠનો અને ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સત્તાધીશો વચ્ચે રજૂઆત ઉગ્ર બનતાં મામલો ઠાળે પાડવા MS યુનિવર્સિટીમાં પોલીસ બોલાવવામાં વખત આવ્યો હતો. મહત્વનું છે કે,યુનિવર્સિટ દ્વારા વિવાદ વધુ વકરે તે પહેલા ડિસ્પ્લે કટઆઉટ દૂર કરાયા હતાં તો આ તરફ હસમુખ વાઘેલાએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીનના રાજીનામાની કરી માગ
આ સમગ્ર મામલે ફેકલ્ટીના ડીનને લુલો બચાવ કર્યો
જો કે,આ સમગ્ર મામલે ફેકલ્ટીના ડીનનો લુલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, આ અમારી ફેકલ્ટીના ડિસ્પ્લેમાં નથી મુકાયું તેમ તેમણે જણાવ્યું હતું.મહત્વનું છે કે, આ મામલે પોલીસની હાજરીમાં ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ AVBPએ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવાની અને ફેકલ્ટી ડીન જયરામ નું રાજીનામું લેવા પણ માંગ કરી છે