સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર વડતાલ બોર્ડની ચૂંટણીમાં વિવાદ, ગૃહસ્થ વિભાગના સિદ્ધાંત પક્ષે નિષ્પક્ષ ચૂંટણી યોજાતી ન હોવાના આક્ષેપ કર્યા છે.
વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી મામલો
ગૃહસ્થ વિભાગના સિદ્ધાંત પક્ષ દ્વારા ચૂંટણી બહિષ્કાર
ચૂંટણી અધિકારી સામે ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત
વડતાલ સ્વામિનારાયણ મંદિરની 14 માર્ચે ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે ગૃહસ્થ વિભાગમાં ઉભેલા સિદ્ધાંત પક્ષના ચાર ઉમેદવારો આજે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. ટેમ્પલ દેવ ટેમ્પલ મેનેજર ટ્રસ્ટી બોર્ડની ગ્રંથ વિભાગની બાકી રહેલી ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. હાલ 11 ઉમેદવારો મેદાનમાં છે. અને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.
પરંતુ તે પહેલા સિદ્ધાંત પક્ષના ઉમેશ કનુભાઇ અમીન, જગદીશ શંભુભાઈ, નારાયણ કાનજીભાઈ ભરવાડ અને ભરત અમીને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. એવો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ રહી નથી. વડતાલ મંદિરની વેબસાઈટ ઉપર અમુક ઉમેદવારો પ્રચાર કરે છે તે નિયમ વિરુદ્ધ છે.
વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. 14 માર્ચના વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે. જેમાં લાલજી નૃગેન્દ્રપ્રસાદનું ભાવિ ચૂંટણીમાં નક્કી થશે. વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મહાજંગ જોવા મળશે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ થશે.
20 વર્ષથી દેવપક્ષનું વડતાલ ટેમ્પલ બોર્ડમાં શાસન છે. ગત ચૂંટણીમાં આચાર્ય પક્ષની થોડા મતોથી હાર થઇ હતી. આચાર્ય પક્ષ સત્તા પર આવે તો જ નૃગેન્દ્રપ્રસાદ આચાર્ય બની શકે છે. નિત્યસ્વરૂપ સ્વામીએ આચાર્ય પક્ષનો સાથ છોડતા દેવપક્ષને ફાયદો થઇ શકે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની નજર 14 માર્ચના રોજ યોજાનાર ચૂંટણી પર છે.