ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી થોડા દિવસો અગાઉ પૂર્ણ થઇ છે, જેના પરિણામ 23 મેના રોજ છે. ત્યારે ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ અનેક વિવાદમાં રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના આંતરિક વિવાદનો કિસ્સો સામે આવ્યો છે. કોંગ્રેસના બે ધારાસભ્યો સ્ટેજ પર ઉગ્ર થયા હતા.
કડીમાં ઠાકોર સમાજના સમુહ લગ્ન દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે સ્ટેજ પર જ ચકમક થઈ ગઈ હતી. સમુહ લગ્નની પત્રિકામાં જુગલજી ઠાકોરના નામને લઈને ધારાસભ્ય બળદેવજી ઠાકોર બેચરાજીના ધારાસભ્ય ભરતજી પર બગડ્યા હતા.
તેમણે કહ્યું કે, જેણે સમાજના યુવાનોને દારુના રવાડે ચડાવ્યા. તેવા લોકોનું તમે આ પત્રિકામાં નામ શા માટે લખ્યું છે. કેમ એવા લોકોનું નામ નથી લખ્યું જેણે સમાજ માટે 15-15 દિવસ સુધી જેલની હવા ખાધી. જુગલજીના નામને લઈને સ્ટેજ પર જ બંને ધારાસભ્યો વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી.