બોલિવૂડમાં ફરી એક વખત 2 મોટા સિનીયર એક્ટર વચ્ચે NRC અને CAAને લઈને પોતાના વિચારો વ્યક્ત કરતાં બંને વચ્ચે વિવાદ થઈ ગયો છે. અને બંને વચ્ચે સોશિયલ મીડિયામાં ઝઘડો ચાલી રહ્યો છે.
બોલીવૂડના 2 દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે CAA/NRCને લઈને વિવાદ ઉભો થયો છે. જ્યાં નસીરૂદ્દીન શાહ અનુપમ ખેરની વાતોને લઈને જોકર કહે છે. જ્યારે અનુપમ ખેર તેમને અસંતુલિત માનસિકતા ધરાવતો વ્યક્તિ કહે છે.
ફિલ્મ દ વેડનેસડે દરમિયાન એક બીજાની સામે આવ્યા ત્યારે કોણ જાણતું હતું કે આ વિવાદ માત્ર પડદા પર નહીં. બહાર પણ ચાલે છે. આવું પ્રથમ વખત નથી બની રહ્યું આ પહેલા પણ કશ્મીરી પંડિત અને બુંલદ શહેરમાં હિંસા થઈ ત્યારે પણ આ બંને વિવાદો પર બોલચાલ થઈ હતી.
કઈ વાતને લઈને થયો વિવાદ?
जनाब नसीरुदिन शाह साब के लिए मेरा प्यार भरा पैग़ाम!!! वो मुझसे बड़े है। उम्र में भी और तजुर्बे में भी। मै हमेशा से उनकी कला की इज़्ज़त करता आया हूँ और करता रहूँगा। पर कभी कभी कुछ बातों का दो टूक जवाब देना बहुत ज़रूरी होता। ये है मेरा जवाब। 🙏 pic.twitter.com/M4vb8RjGjj
જણાવી દઈએ કે નસીરુદીન શાહ CAA-NRC પ્રોટેસ્ટને લઈને ખુબ નિંદા કરી હતી. તેમણે કહ્યું કે અનુપમ એક જોકર છે. તેમને ગંભીરતા લેવાની જરૂર નથી. NSD, NAFTIIના તે સમયના લોકો જે તેમની સાથે હતા તે તેમના સ્વભાવ વિષે જણાવી શકે છે. આ તેમના લોહીમાં છે. જે લોકો તેમને સમર્થન કરી રહ્યાં છે તેમણે વિચારવું જોઈએ તે કોનું સમર્થન કરી રહ્યાં છે. તેમને આપણી જવાબદારી શું છે તે બતાવાની જરૂર નથી. આપણે જાણીએ છીએ કે આપડી જવાબદારી શું છે.
નસીરૂદ્દીન શાહને ટ્વીટ કરી સણસણતો જવાબ આપતા કહ્યું 'મેં કોઈ દિવસ તમારી ટીકા નથી કરી પણ આજે હું જરૂર કરીશ. તમે આખી જિંદગીમાં આટલી સફળતા મળી હોવા છતાં તમે આખી જિંદગી ફર્સ્ટશેનમાં જ વિતાવી છે.