ચુંટણીઓ આવે ત્યારે તમામ રાજકીય પક્ષો, તમામ સમાજો મેદાનમાં આવે છે અને રેલી, સંમેલનો યોજી શકિત પ્રદર્શન કરતા હોય છે
કોળી સમાજના સંમેલનનો મામલો
કુંવરજી બાવળિયાને સાઈડલાઈન કર્યાનો આક્ષેપ
યુવાનોએ સંમેલનના બહિષ્કારની ઉચ્ચારી ચીમકી
વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજમાં જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે કોળી સમાજના સુવર્ણ જ્યંતી મહોત્સવ પહેલા જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખપદ માટે મોટા પાયે ડખા સામે આવી રહ્યા છે. કારણ કે કુંવરજીભાઈ બાવળિયા અને અજીતભાઈ બંને જૂથોએ પ્રમુખપદ માટે દાવેદારી ઠોકતા વિવાદનું વંટોળ ઊભું થયું છે.મહત્વનું છે કે હાલ અજીતભાઈ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે. અગાઉ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં બંને જૂથ વચ્ચે સમાધાન કરાયું હતું. ત્યારબાદ સમાધાન અંગે વધુ એક બેઠક રાજકોટ ખાતે મળી હતી જેમાં બંને જૂથ વચ્ચે સમાધાન અંગે ફોર્મ્યુલા નક્કી કરાઈ હતી
કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાલા ગ્રુપ દ્વારા મહોત્સવનો બહિષ્કાર
કોળી સમાજના સુવર્ણ જ્યંતી મહોત્સવ કુંવરજી બાવળિયા અને અજીતભાઈની આગેવાનીમાં યોજાશે જેમાં અજીતભાઈ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે તેમજ કુંવરજીભાઈ બાવળિયા સુવર્ણ જ્યંતી મહોત્સવના અધ્યક્ષ રહેશે. સમારંભ પૂર્ણ થતા બંને આગેવાનો સમાજના હોદ્દા પરથી રાજીનામું આપશે. પણ કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાલા ગ્રુપ દ્વારા મહોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત કોન્ટ્રાક્ટર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રપતિ પણ હાજરી આપવામાં છે.
કુંવરજી બાવળિયા, ચંદ્રવદન પીઠાવાલાને સાઈડ ટ્રેક કરાયા છેઃ ઉમેશ પટેલ
અખિલ ભારતીય કોળી સમાજના સંમેલન મામલે વિવાદ સામે આવ્યો છે. આગામી સમયમાં અખિલ ભારતીય કોળી સમાજનુ સંમેલન યોજાવાનુ છે પરંતુ તેમાં કુંવરજી બાવળીયાને સાઈડ લાઈન કરાઈ રહ્યાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ આરોપ ગુજરાત કોળી સમાજના મહામંત્રી ઉમેશ પટેલે લગાવ્યો છે. તેમને કહ્યુ છે કે, ચૂંટણીમાં ટિકિટ મેળવવા આ સંમેલન બોલાવાયુ છે. જેમાં કુંવરજી બાળળિયા અને ચંદ્રવદન પીઠાવાલાને સાઈડ લાઈન કરાઈ રહ્યા છે. આમ કુંવરજી બાળળિયાના સમર્થનમાં ચોર્યાસી તાલુકાના કોળી સમાજના યુવાનોએ સંમેલનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાતમાં કોળી બહુમતિવાળા જિલ્લા
સુરેન્દ્રનગર
ભાવનગર
બોટાદ
ગીર સોમનાથ
અમરેલી
જૂનાગઢ
રાજકોટ
મોરબી
અમદાવાદ
પોરબંદર
જામનગર
ભરુચ
વલસાડ
નવસારી
-
ક્યા જિલ્લામાં કેટલો કોળી સમાજ?
જિલ્લો કોળી સમાજની વસતી
ભાવનગર 18%
સુરેન્દ્રનગર 15%
જૂનાગઢ 11%
અમરેલી 12%
પોરબંદર 11%
નવસારી 10%
વલસાડ 08%
ભરૂચ 07%
ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતી. રાજકીય પક્ષો તેમને નજરઅંદાજ નથી કરી શકતી તે વાત સ્વાભાવિકરીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજીક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ વધતો આપણે જોતા આવ્યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરીએકવાર જોઇ રહ્યા છીએ.