વિધાનસભા ચૂંટણી પહેલા આપેલું આ નિવેદનને રાજકારણમાં અલગ રીતે જોવાય રહ્યું છે, નીતિન પટેલે મુસલમાનની દેશ ભકિતની પણ વાત કરી છે
નીતિન પટેલનું વિવાદીત નિવેદન
"હિન્દુઓની બહુમતી સુધી કાયદાની વાત ચાલશે"
"હિન્દુઓની વસ્તી ઘટ્યા બાદ કંઇપણ બચશે નહીં"
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિવાદીત નિવેદન હાલ ચર્ચાનો વિષય છે. તેમણે હીન્દુ બહુમતીને લઈ એક નિવેદન કરતા વિવાદનું મૂળ બની ગયા છે. વિશ્વ હિન્દુ પરિષદના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે નીતિન પટેલે કહ્યું હતું કે આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા વિશે વાત કરી રહ્યાં છે...તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો...મારા શબ્દોને નોંધી લો...જે પણ લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત કરી રહ્યાં છે...આવું ત્યાં સુધી છે જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે...જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા, ના બંધારણ બચશે...બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે...તેમણે વધુમાં કહ્યું કે, હું બધા વિશે વાત કરી રહ્યો નથી...મારે સ્પષ્ટતા પણ કરવી જોઇએ...લાખો મુસલમાનો દેશભક્ત છે...લાખો ઇસાઇ પણ દેશભક્ત છે.
લાખો મુસલમાન દેશભક્ત
હિન્દુની બહુમતી અને ત્યાર બાદની સ્થિતિ વિશે નિવેદન આપતી વખતે નીતિન પટેલે ખાસ કહ્યું હતું કે તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો, 1000 કે 2000 વર્ષ બાદ જ્યારે હિન્દુ અલ્પસંખ્યકમાં આવી જશે ત્યારે કોઈ કાયદા કાનૂનની વાત નહીં થાય, આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત RSSના શીર્ષ નેતાઓની હાજરી હતી જે દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ પણ કહ્યું હતું કે હું બધા જ વિશે વાત કરી રહ્યો છે, હું એ પણ સ્પષ્ટ કરવા માગું છું કે લાખો મુસલમાન દેશભક્ત છે અને લાખો ઈસાઈઓ પણ દેશ ભક્ત છે, ગુજરાતના પોલીસ બેડામાં હજારો મુસલમાન પૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે.
ધર્માન્તર વિરોધી કાનૂન (લવ જેહાદનો કાયદો)
અહી મહત્વનું છે કે કેટલાક દિવસથી લવ જેહાદ મામલે સરકાર અને કોર્ટ સામ સામે છે હાઈકોર્ટે લવ જેહાદ કાનૂનની કલમ 5 પર સ્ટે યથાવત રાખાતા સરકારની માંગ ફગાવી દીધી હતી, નીતિન પટેલે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2021 પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે સરકાર આ કાનૂનથી મરજી વિરુદ્ધ અને ખોટી રીતે ફોસલાવીને કરાવેલા લગ્નને રોકવા માંગે છે. આ કાયદા ના સંવિધાનને અમે પડકારી રહ્યા છીએ હાઈકોર્ટએ અમૂક રોક લગાવી છે જેને કારણે ગુજરાત સરકાર સુપ્રીમમાં જશે. વધુમાં તેમને જણાવ્યું હતુ કે તે એ પણ સ્પષ્ટ કરવા માંગે છે કે જો કોઈ હિન્દુ યુવકે પણ કોઈ મુસ્લિમ છોકરીને ફોસલાવી કે ધોખો આવી લગ્ન કર્યા હશે તો તેના પણ પર આ કાનૂન લાગુ થશે. લવ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમના કાયદામાં કોઈ જ વિશેષ ધર્મ નથી તે બધા માટે સરખો છે.
વિશ્વ હિન્દુ પરિષદના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે નીતિન પટેલે આ વિવાદિત નિવેદન કર્યુ હતુ જે બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પણ તે આપેલ નિવેદન બાબતે અડગ રહયા હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા આપેલું આ નિવેદનને રાજકારણમાં અલગ રીતે જોવાય રહ્યું છે.