તારક મહેતા...ટીવી પર આવનારો સૌથી જૂનો શો છે અને લોકો આજે પણ તેને એટલો જ પસંદ કરે છે. ચર્ચાનો વિષય દિશા વાકાણી બની છે જેના પર સુનયના ફોજદારે નિવેદન આપ્યુ છે.
દયાબેન એક એવુ કેરેક્ટર છે જે પોતાના અલગ અંદાજને લઇને ખુબ જ ફેમસ છે અને લોકો તેને ખુબ જ પસંદ કરે છે. છેલ્લા 3 વર્ષોથી દયા બહેન શોમાંથી બાર છે. આ મુદ્દે ઘણી ચર્ચા થઇ છે પરંતુ હાલમાં નવી અંજલી એટલે કે સુનયના ફોજદારે સ્ટેટમેન્ટ આપ્યુ છે.
દયાબેનની વાપસી ચર્ચામાં
દિશા વાકાણી એટલે કે દયા બેન શોમા પરત ફરશે તેવી અટકળો ત્યારથી લગાવવામાં આવી રહી છે જ્યારથી 2017માં તેમણે શો છોડ્યો. આવી ખબરો બાદમાં આવતી જ રહી કે મેકર્સ નવી દયા બેન શોધી રહ્યાં છે.
શોમાં નવું કંઇ જ થવાનુ નથી તેનુ પુષ્ટિ નેહા મહેતાને રિપ્લેસ કરનાર સુનયના ફોજદારે કરી હતી. સુનયના સિવાય નવી સોનુ અને નવા સોઢીની પણ એન્ટ્રી થઇ છે. હાલમાં જ સુનયનાએ દયાબેનની વાપસીને લઇને મૌન તોડ્યુ છે.
શું કહ્યું સુનયનાએ
સુનયનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ શો બધાનો છે. આ માત્ર એક પાત્રનો શો નથી. શોના કોઇ પાત્રને હજુ પણ પ્રેમ મળી રહ્યો છે તો તેનો મતલબ છે શો સારુ કરી રહ્યો છે. ટીમ પોતાનુ 100 પરસેન્ટ આપી રહી છે. માત્ર એક વ્યક્તિને ક્રેડિટ આપવી યોગ્ય નથી. શોમાં કોઇ લીડ નથી બધાના ફેવરિટ અલગ અલગ લોકો છે જેમના કારણે શો હજુ પણ ચાલી રહ્યો છે.
સુનયનાએ વધુમાં કહ્યું કે દયા ક્યારે પાછી આવશે તેને લઇને અમે પણ જાણવા માંગીએ છીએ. હજુ સુધી કોઇને ખબર નથી કે દયા ક્યારે પાછી આવશે.
અસિત મોદી આપશે જવાબ
અંજલિએ કહ્યું કે મને લાગે છે કે અસિત મોદી જ આ વાતનો જવાબ આપી શકશે કે ક્યારે દયા શોમાં પરત ફરશે. અમે પણ અંદરોઅંદર એકબીજાને આ બાબતને લઇને પૂછીએ છીએ.
2017માં શો છોડ્યો હતો
તમને જણાવી દઇએ કે 2017માં દિશા વાકાણીએ મેટરનીટી લીવના કારણે શોમાંથી બ્રેક લીધો હતો. હે મા માતાજી... ટપૂ કે પાપા જેવા અનોખા ડાયલોગ બોલીને દયા બધાને એન્ટરટેઇન કરતી હતી.