જમિયત ઉલેમા-એ-હિંદના મહાઅધિવેશનનો આજથી જમિયત ઉલેમાના અધ્યક્ષ મહમૂદ અસદ મદનીની અધ્યક્ષતામાં નવી દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં પ્રારંભ થયો. તેમાં જમિયત ઉલેમાના અધ્યક્ષે ઘણી બધી વાતો કરી. તેમણે કહ્યું કે, આ વતન જેટલું મોદીનું છે, તેટલું જ મહમૂદનું છે. મદનીએ કહ્યું કે, 'આ મુલ્ક સૌનો છે.' મહાઅધિવેશનનું પૂર્ણ સત્ર રવિવારે આયોજિત થશે તેમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચવાની આશા છે.
ઇસ્લામ બહારથી આવ્યો નથીઃ મહમૂદ મદની
જમિયત ઉલેમા-એ-હિંદ પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું કે ઇસ્લામ બહારથી આવ્યો નથી. હિન્દુસ્તાન જ તેની જન્મભૂમિ છે. જમિયત ચીફે સભાને સંબોધિત કરતાં કહ્યું કે, આ ધરતીની ખાસિયત એ છે કે તે પહેલાં પયંગબરની જમીન છે. તેમણે પોતાનાં નિવેદનમાં કહ્યું કે દેશમાં મુસલમાનો વિરુદ્ધ વિરોધની ભાવના સતત વધી રહી છે.
ઇસ્લામ તમામ ધર્મોમાં સૌથી જૂનો ધર્મ છે: મદની
ઉલેમા-એ-હિંદ પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું કે આ ધરતીની ખાસિયત એ છે કે તે ખુદાના સૌથી પહેલા પયગંબર બુલ બશર આદમ અલી સલામની જમીન છે. તેમણે કહ્યું કે આ ધરતી મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે. ઇસ્લામ એક એવો ધર્મ છે જે બહારથી આવ્યો છે તે કહેવું ખોટું અને નિરાધાર છે. ઇસ્લામ તમામ ધર્મોમાં સૌથી જૂનો ધર્મ છે. હિન્દી મુસલમાનો માટે ભારત સૌથી સારો દેશ છે.
#WATCH | This land is the first homeland of Muslims. Saying that Islam is a religion that came from outside is totally wrong & baseless. Islam is the oldest religion among all religions. India is the best country for Hindi Muslims: Jamiat Ulema-e-Hind Chief Mahmood Madani (10.02) pic.twitter.com/hQ5YQhEeqh
મૌલાના મહમૂદ મદનીનો આરોપ
પોતાનાં નિવેદનોમાં જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ આરોપ લગાવ્યો છે કે મુસલમાન સમુદાય વિરુદ્ધ નફરતના કિસ્સા સતત વધતા જાય છે. તેમણે કહ્યું કે દેશની અંદર ઇસ્લામોફોબિયા અને મુસલમાનો વિરુદ્ધ નફરત તેમજ ઉશ્કેરણીના વધતા કેસ છતાં પણ સરકાર ચૂપ છે.