ખેડૂતો પર થયેલા લાઠીચાર્જને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈત રોષે ભરાયા છે. જેમા તેમણે એવું નિવેદન આપ્યું છે કે સરકારી તાલિબાનો દ્વારા ખેડૂતોના માથા ફોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ખેડૂત નેતા રાકૈશ ટિકૈત રોષે ભરાયા
ખેડૂતો પર થયેલા લાઠીચાર્જને લઈને ભરાયા રોષે
સરકારી તાલિબાનોએ લાઠિચાર્જ કરાવ્યો : રાકેશ ટિકૈત
#WATCH: देश में सरकारी तालिबानों का कब्ज़ा हो चुका है। देश में सरकारी तालिबानों के कमांडर मौज़ूद है। इन कमांडरो की पहचान करनी होगी। जिन्होंने आदेश दिया सर फोड़ने का वहीं कमांडर है: किसान नेता राकेश टिकैत, करनाल में पुलिस द्वारा किसानों पर हुए लाठीचार्ज पर pic.twitter.com/KnuPFQ7SGx
ભાજપની બેઠક સામે કરનાલ પાસે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા હતા જે સમયે તેમના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખેડૂત નેતા રાકેશ ટીકૈતનો ગુસ્સો હવે આસમાને પહોચી ગયો છે. તેમણે મોદી સરકાર સામે પ્રહાર કરતા કહ્યું કે દેશમાં હવે સરકારી તાલિબાનોએ કબ્જો જમાવી લીધો છે.
ઘટનામાં 10 લોકો ઘાયલ
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વધુમાં આ મુદ્દે કહ્યું કે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તેમને તાલિબાને કમાંન્ડર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. ખેડૂતો ભાજપની બેઠકને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે સમયે તેમના પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં 10 જેટલા લોકો ઘાયલ પણ થયા હતા.
માથું ફોડવાના આદેશ આપ્યા તે તાલિબાની કમાન્ડર : રાકેશ ટિકૈત
મીડિયા સાથે વાતચીત કરતા રાકેશ ટૈકિતે કહ્યું કે ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો તેને લઈને સાબિત થાય છે કે સરકારી તાલિબાનોએ પોતાનો કબ્જો જમાવી લીધો છે. સાથેજ તેમણે કહ્યું કે દેશમાં જે પણ તાલિબાન કમાન્ડર છે તેમની તપાસ કરવી પડશે. જેણે માથું ફોડવાના આદેશ આપ્યા તેજ કમાંડર છે.
હરિયાણાના મુખ્યમંત્રી પણ બેઠકમાં હતા હાજર
આપને જણાવી દઈએ કે પ્રદર્શનાકારીઓ જે બેઠક સામે પ્રદર્શન કરી રહ્યા હતા. તેમા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્ય ભાજપના અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.
રોષે ભરાયેલા લોકોએ રસ્તાઓ બ્લોક કર્યા
ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો હતો તેને લઈને પોલીસ સામે ગંભીર સવાલો ઉઠ્યા અને લોકોએ વિરોધમાં રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. જેમા ફતેહાબાદ-ચંદીગઢ, ગોહાના-પાનીપત. અંબાલા-કુરુક્ષેત્ર, કરનાલ પાસે આવેલો દિલ્હી રાજમાર્ગ, હિસાર-ચંદીગઢ અને કાલકા-જીરકપુર રાષ્ટ્રીય રાજમાર્ગ બલ્કો કરી દેવામાં આવ્યા. જેના કારણે વાહનચાલકોને ભારે હાંલંકી પડી હતી .
ખેડૂતોમાં રોષનો માહોલ
ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેમા 8 થી 10 લોકો ઘાયલ થયા હતા. જે લોકો પ્રદર્શન કરી રહ્યા હતા તેઓ કૃષિ કાયદાઓ અને હરિયાણમાં ભાજપ-જજપાના ગઠબંધનને લઈને તેઓ વિરોધ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે વીરોધ પ્રદર્શનમાં જે રીતે લાઠીચાર્જ કર્યો તેને લઈને હાલ જગતના તાતમાં રોષનો માહોલ ફેલાયેલો છે.