પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી વિવાદીત નિવેદન આપતા યુવાનોને કહ્યું કે એક દિવસ સરકાર તમારા શરીરના અંગો પણ વેચી કાઢશે.
મમતા બેનર્જીએ આપ્યુ વિવાદિત નિવેદન
મોદી સરકાર પર કર્યા ગંભીર આક્ષેપો
જે ભાજપનો વિરોધ કરે તે રાષ્ટ્રવિરોધી : મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગતરોજ યુવાનો અને વિદ્યાર્થીઓને કહ્યું કે ગોળી વાળી સરકાર સાથે લડવા માટે તૈયાર રહો. સાથેજ તેણે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે સરકાર દેશની બોલી લગાવીને તેને વેચી રહી છે. જેથી તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સરકાર એક દિવસ તમારા શરીરના અંગો પણ વેચી કાઢશે : મમતા બેનર્જી
તણમૂલ છાત્ર પરિષદના સ્થાપના દિવસે સંબોધન આપતા મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ સરકાર કોલસા સેક્ટર, રેલ્વે સ્ટેશન, ટ્રેન, LIC GIC , રાષ્ટ્રીય વીમા, એર ઈન્ડિયા અને તમામ સરકારી સંપત્તિ વેચી રહી છે. વધુંમાં તેમણે મોદી સરકાર પર આક્ષેપ કરતા એવું કહ્યું કે એવું પણ બની શકે કે સરકાર એક દિવસ તમારા શરીરના અંગો પણ વેચી શકે છે.
CIFSની ભરતી પણ ઉઠાવ્યા સવાલ
મમતા બેનર્જીએ એવા આરોપ લગાયા કે જે પણ વ્યક્તિ ભાજપનો વિરોધ કરે છે તેના પર રાષ્ટ્રવિરોધી હોવાનો આરોપ લાગી જાય છે. CIFSની ભર્તી પર સવાલ ઉઠાવતા મમતાએ કહ્યું કે ઉમેદવારોને દિલ્હીમાં ફેલાયેલા તોફાન વિશે પૂછવામાં આવ્યું. જે મામલે તેમણે કહ્યું કે સરકાર સુરક્ષાદળોના શરૂઆતથી બ્રેનવોશ કરવાની કોશિશ કરી રહી છે.
ભાજપ કર્યા ગંભીર આક્ષેપો
વધુમાં મમતા બેનર્જીએ એવું કહ્યું કે વહેચો અને રાજકરોની નીતિ ક્યારેય સુરક્ષાબળો પર લાગૂ કરવામાં નહોતી આવી. ભાજપ પર આરોપ કરતા મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપના હાથમાં બે કામ છે. એક તો ગોળીથી પ્રજાતાંત્રિક અવાજોનો દબાવવો અને બીજું કે ગાળ દ્વારા આપીને વિરોધીઓ સામે અફવા ફેલાવી.
ગુજરાતના કોરોનાના આકડા સામે ઉઠાવ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે મમતા બેનર્જીએ ગુજરાતના કોરોનાના આકડા સામે ચેતવણી આપતા કહ્યું કે તે ભ્રામક છે. સાથેજ તેમણે છેલ્લે એવું પણ કહ્યું કે ભાજપની સામે હું સિંહણ બનીને લડતા લડતા મરવાનું પસંદ કરીશ.