આસામમાં ભાજપ અધ્યક્ષ ભાવેશ કલિતાએ ચોંકાવનારું નિવેદન સામે આવ્યુું છે. જેમા તેમણે એવું કહ્યું કે પેટ્રોલા ભાવ જ્યારે 200 ઉપર પહોચશે ત્યારે ત્રીપલ સવારીને મંજૂરી આપવામાં આવશે.
દેશમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને સામાન્ય માણસ હેરાન થઈ રહ્યો છે. ત્યારે પેટ્રોલના ભાવને લઈને નેતાઓ પણ અલગ અલગ નીવેદનો આપી રહ્યા છે. હવે અસમમાં ભાજપ અધ્યક્ષ ભાવેશ કલિતા દ્વારા એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેના કારણે તેઓ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ત્રીપલ સવારી પર છૂટનો ઉલ્લેખ
અસમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે પેટ્રોલની કિંમત જ્યારે 200 રૂપિયા પ્રતિ લીટર પહોચી જશે ત્યારે રાજ્ય સરકાર ટુ વ્હીલર પર થ્રીપલ સવારીની પણ છૂંટ આપી દેશે. ગુહવાટીમાં તેમણે પત્રકારો સાથે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. જેમા તેમણે એવું પણ કહ્યું ક્યા તો થ્રીપલ સવારીને મંજૂરી આપીશું ક્યાતો ત્રણ સીટ વાળી બાઈકનું નિર્માણ કરવામાં આવશે.
ડુંગળી બટાકાની કિંમત ઘટવાનો ઉલ્લેખ
વધુમાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ વસ્તુ ત્યારેજ શક્ય બનશે જ્યારે પેટ્રોલનો ભાવ 200 રૂપિયા સુધી પહોચી જશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે ખાદ્ય તેલમાં પણ સરસીયાની કાપણી બાદ હવે તેના ભાવમાં ઘટાડો આવ્યો છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે ડુંગળી બટાકાની કિંમત પણ હવે ટૂંક સમયમાં ઓછી થશે.
ભાજપ નેતા ચર્ચામાં
18 ઓક્ટોબરે તાલુમપુર વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષે નિવદેન આપતા કહ્યું કે પેટ્રોલ બચાવા માટે કારની જગ્યાએ ટુ વ્હીલરનો ઉપયોગ કરવો વધારે જરૂરી બન્યો છે. જોકે તેમણે જે ત્રીપલ સવારી વાળું જે નિવેદન આપ્યું હતું. તેના કારણે હાલ તેઓ ઘણા ચર્ચામાં આવ્યા છે.
અગાઉ રામેશ્વર તેલીએ આપ્યું હતું વિવાદીત નિવેદન
ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ અને ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ એવું નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે ફ્રી વેક્સિન આપવામાં આવી રહી છે. તેના કારણે પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા છે. સાથેજ તેમણે એવું નિવેદન પણ આપ્યું હતું કે હિમાલયનું એક લીટર પાણી એક લીટર પેટ્રોલની તુલનાએ ઘણું મોંઘું છે.