ગૃહ મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિએ મુંબઇની તાજ હોટલ પર થયેલા આતંકી હુમલાને પાકિસ્તાન અને ત્યારની તત્કાલિન સરકાર વચ્ચે ફિક્સ મેચ હતી તેવો દાવો કર્યો છે. મણિએ દાવો કર્યો છે કે 26/11 નો મુંબઇ હુમલો પાકિસ્તાન અને ત્યારની સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ફિક્સ્ડ મેચ હતી. જેનું મુખ્ય કારણ છે કે ત્યારના સૌથી વધારે અધિકારીઓ આતંકવાદ પર થનારી વાર્ષિક ગૃહ સચિવ સ્તરની બેઠક માટે ઇસ્લામાબાદમાં હતા.
આ બેઠક 25/11/2008માં પાકિસ્તાનમાં યોજાવાની હતી. ત્યાં પહોંચીને તેની તારીખ વધારીને 26/11 કરી દેવામાં આવી. મને લખનઉ મોકલી દેવામાં આવ્યો. આ વચ્ચે અડધી રાત્રે આ હુમલો થયો હતો. મણિએ જણાવ્યું કે હિન્દુ આતંકવાદ એક પરિકલ્પના છે.
જેને જાણીજોઇને કેન્દ્ર સરકારના ત્યારના કેટલાક મોટા નેતાઓ અને પોલીસ અધિકારીઓએ મળીને તેનો પ્રચાર કર્યો અને પુરાવા માગ્યા. તેમનું ઇરાદો શું હતો તે અંગે નથી જાણતો, પરંતુ આ કારણે સાચા આતંકીઓ જરૂરથી બચી ગયા. પૂર્વ ગૃહમંત્રાલયના અંડર સેક્રેટરી મણિ શુક્રવારના રોજ રાષ્ટ્રીય સુરક્ષા મંચ તરફથી પોતાની ચર્ચિત બુક 'હિન્દુ ટેરર-ઇનસાઇડર એકાઉન્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર' પર આયોજીત ચર્ચામાં ભાગ લેવા ભોપાલ પહોંચ્યા હતા.