તાલિબાની પ્રવક્તાએ ભારતમાં અલ્પસંખ્યક સમુદાયના હકને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. જેને લઈને મામલો ગરમાયો છે. સાથેજ તેમણે પંજશીર ઘાટી પર કબ્જો કરી લીધો હોવાનો દાવો પણ કર્યો છે.
તાલિબાને ભારતને લઈને આપ્યું વિવાદિત નિવેદન
અલ્પસંખ્યકોના અવાજ ઉઠાવવા મુદ્દે આપ્યું નિવેદન
પંજશીર પર કબ્જો મેળવ્યો હોવાનો કર્યો દાવો
અફઘનાનિસ્તાનમાં તાલિબાને કબ્જો મેળવી લીધા બાદ તેઓ તેમની સરકાર બનાવે તે પહેલાજ તાલિબાની પ્રવક્તા સુહૈલ શાહીને ભારતમાં અલ્પસંખ્યકોને લઈને ટિપ્પણી કરી છે. જેમા તેણે એવું કહ્યું કે ભારત મારા દેશના અલ્પસંખ્યકોને અવાજ ઉઠાવાનું કહે છે. તો પછી ભારતમાં અલ્પસંખ્યકોને અવાજ ઉઠાવાનો અધિકાર કેમ નથી મળતો.
દેશની ધરતીનો બીજા કોઈને ઉપયોગ નહી કરવા દઈએ :તાલિબાન
સુહૈલ શાહીને વધુંમાં કહ્યું કે તે કોઈ સૈન્ય અભિયાનની વાત નથી કરતો કારણકે તેમની પાસે કોઈ વિદેશી એજન્ડા નથી. સાથેજ તેણે કીધું કે તે અન્ય દેશોમાં સૈન્ય રુપે હસ્તક્ષેપ કરવાનો તેમનો ઈરાદો નથી અને બીજા દેશોની સામે અમારી ધરતીનો ઉપયોગ કરવા પણ અમે કોઈને મંજૂરી નથી આપવાના.
ટૂંક સમયમાં નવી સરકારનું થશે એલાન
તાલિબાની પ્રવક્તાએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે તેઓ તાલિબાનમાં સરકાર બનાવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાંજ મુલ્લા બરાદર નવી સરાકરનું એલાન કરશે.
કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસ સજાવ્યો
છેલ્લા ઘણા સમયથી કાબુલમાં તાલિબાન નવી સરકાર બનાવાની તૈયારીમાં લાગ્યું છે. કાબુલનું રાષ્ટ્રપતિ પેલેસ પણ તેઓ સજાવી રહ્યા છે. સાથેજ તેઓ દેશનો ઝંડો તૈયાર કરી રહ્યા છે. તેવી માહિતી પણ સામે આવી છે.
પંજશીર ઘાટી પર કબ્જો કર્યો હોવાનો દાવો
ઉલ્લેખનીય છે કે સરકાર બનાવ્યા પહેલાજ તાલિબાને એવો દાવો કર્યો કે તેમણે પંજશીર ઘાટી પર કબ્જો મેળવી લીધો છે. જોકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ તાલિબાનના આ દાવાને નકારી દીધો છે. સાથેજ તેમણે એવું જાહેર કર્યું કે હું દેશ છોડીને ક્યાંય ભાગ્યો નથી અહીયા પંજશીર ઘાટીમાંજ છું