કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર ઐયરે એવું નિવેદન આપ્યું છે કે 2014 પછી ભારત અમેરિકાનું ગુલામ છે. જેથી તેમના આ વિવાદીત નિવેદનને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ઉઠ્યો છે.
અગાઉ કંગના રનૌતે આઝાદીને લઈને આપ્યું હતું વિવાદીત નિવેદન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર હંમેશા તેમના વિવાદીત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વધંમાં ફરી તેમણે કઈક એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે તેઓ વિવાદોમાં ઘેરાયા છે. મણિશંકર ઐયરે ભારતની આઝાદીને લઈને નિવદેન આફતા કહ્યું કે છેલ્લા સાત વર્ષો છે દેશ અમેરિકાનો ગુલામ છે.
અગાઉ કંગનાએ આપ્યું હતુ વિવાદીત નિવેદન
એક સેમિનારમાં સ્પીચ આપતી વખતે કોંગ્રેસ નેતા એવું બોલ્યા કે 2014 પછીથી ભારત અમેરિકાનું ગુલામ છે. અગાઉ બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ આઝાદીને લઈને વિવાદીત નિવેદન આપ્યું આપ્યું હતું જેમા તેણે એવું કહ્યું હતું કે ભારતને ખરી આઝાદીતો 2014માં મળી હતી 1947માં જે મળ્યું તે તો ભીખ હતી.
અમેરિકાના કહેવાથી ચીનથી બચીને રહ્યા છે: મણિશંકર ઐયર
મણીશંકર ઐયરે વધુમાં એવું કહ્યું કે છેલ્લા સાત વર્ષોથી આપણે જોઈએ છે કે શાંતીને લઈને કે પછી અન્ય કોઈ બાબતે કોઈ ચર્ચા નથી થઈ રહી, આપણે બસ અમેરિકાના ગુલામ બનીને બેઠા છે. સાથેજ કહ્યું કે અમેરિકાના કહેવાથી આપણે ચીનતી બચીને રહ્યા છે. સમગ્ર મામલે મણીશંકર ઐયરે ભારત અને અમેરિકાના મજબૂક સંબંધો પર સવાલો ઉઠાવ્યા હતા.
2014 પછી રશિયા સાથેના સંબંધો બગડ્યા: મણિશંકર ઐયર
ઉપરાંત ઐયરે એવું પણ કહ્યું કે ભારત અને રશીયાના સંબંધો વર્ષો જુના છે. રશિયા હંમેશા ભારતનું મિત્ર રહ્યું છે. પરંતુ જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી રશિયા સાથેના સંબંધો નાજુક થયા છે. ઐયરે કહ્યું કે 2014 પછી રશિયા સાથે સંબંધો ઘણા સારા રહ્યા હતા. પરંતુ છેલ્લા 7 વર્ષોમાં રશિયા સાથેના સંબંધો ઘણા ઓછા થયા છે.
કંગના માફી માગે તેવી લોકોએ કરી હતી માગ
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા કંગના રનૌતે પણ આઝાદીને લઈને વિવાદીત નિવેદન આપ્યું હતું. જેમા તેણે કહ્યું હતું કે દેશને ખરી આઝાદી તો 2014માં મળી છે 1947માં તો જે મળી તે ભીખ હતી. કંગનાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ઘણું વાયરલ થયું હતું. લોકોએ એવી માગ કરી હતી કંગના તેના આ નિવેદનને લઈને માફી માગે પરંતું તેણે માફી નથી માગી