વડોદરાના ડભોઈનાં ધારાસભ્ય શૈલેશ સોટ્ટા ( મહેતા ) ને વળી કોઈ નવો રંગ ચઢી ગયો હોય તેમ કલાલી શાકોત્સવમાં નિવેદન આપ્યું. કહ્યું મારા આવ્યા બાદ એકપણ કોમી રમખાણ ડભોઇમાં નથી થયું.
ડભોઈના ધારાસભ્યનો 'હુંકાર'
મારા આવ્યા પછી રમખાણ બંધ ;સોટ્ટા
કલાલી શાકોત્સવમાં ભર્યો હુંકાર
વડોદરાના ડભોઈનાં ધારાસભ્ય શૈલેશ સોટ્ટા ( મહેતા ) ને વળી કોઈ નવો રંગ ચઢી ગયો હોય તેમ કલાલી શાકોત્સવમાં નિવેદન આપ્યું તો સભામાં ઉપસ્થિત લોકોમાં તરહ-તરહની અટકળો વહેતી થઈ હતી. શૈલેશ સોટ્ટાએ ગજબનો હુંકાર ભરતા કહ્યું કે, ડભોઇ આવ્યા બાદ કેટલાક લોકોની દાદાગીરી બંધ કરાવી છે. હું ડભોઇમાં ન હતો ત્યારે વર્ષમાં 7થી 14 વખત રમખાણો થતાં હતા. મારા આવ્યા બાદ એકપણ કોમી રમખાણ ડભોઇમાં નથી થયું. શાકોત્સવમાં ઉપસ્થિત નાગરિકોમાં આ નિવેદન અંગે ચર્ચાઓ થવા લાગી કે, આ કેવું નિવેદન ? આપવડાઈ કઈ આવી હોય ? નાગરીકો આ પ્રકારની ચર્ચામાં પરોવાયેલા રહ્યા. કાર્યક્રમમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી