રાજીવ ગાંધી પર જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાાદ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પણ પ્રતિક્રિયા આપી. સંજય નિરુપમે તમામ ગવર્નરોને સરકારના 'ચમચા' કહ્યા છે.
રાજીવ ગાંધી પર જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાાદ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પણ પ્રતિક્રિયા આપી. સંજય નિરુપમે તમામ ગવર્નરોને સરકારના 'ચમચા' કહ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઇ મુજબ નિરુપમે કહ્યું, 'આપણા દેશના જેટલા ગવર્નર છે તે તમામ સરકારના ચમચા હોય છે.' એમણે કહ્યું કે, 'કોર્ટે બોફોર્સ કેસમાં રાજીવ ગાંધીને ક્લિનચીટ આપી હતી. અરુણ જેટલી તેમાંથી એક હતા જેમણે ક્લીનચીટ આપી હતી.
આ પહેલા શુક્રવારે જમ્મૂ-કાશ્મીરના પ્રદેશ કોંગ્રેસ સમિતિ(JKPCC) ના અધ્યક્ષ ગુલામ અહમત મીરે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને લઇને રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદનની નિંદા કરતા કહ્યું કે, તે પોતાના 'આકાઓને ખુશ કરવા' પદનો દુરઉપયોગ કરી રહ્યા છે.
મીરે એક નિવેદનમાં કહ્યું કે, '' મલિક પોતાના આખાને ખુશ કરવા માટે દેશ માટે શહીદ થયેલા રાજીવ ગાંધી વિરુદ્ધ દુષ્પ્રચારમાં સામેલ થઇને રાજ્યપાલના પદનો દુરઉપયોગ કરી રહ્યા છે. મલિકે ગુરુવારે પત્રકારો સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે રાજીવ ગાંધી શરૂઆતમાં ભ્રષ્ટ નહોતા, પરંતુ કેટલાક લોકોના પ્રભાવમાં આવી બોફોર્સ ભ્રષ્ટાચાર મામલે સામેલ થઇ ગયા. રાજ્યપાલની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા મીરે કહ્યું, ''મલિકે ભાજપ અને વડાપ્રધાન મોદી સાતે દુષ્પ્રચારમાં સામેલ થઇને રાજ્યપાલ પદની ગરિમાને ઘટાડી છે.''
સત્યપાલ મલિકે પણ નેહરૂ-ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું. રાજ્યપાલ સત્યપાલ મલિકે ગુરુવારે કહ્યું હતું કે વડાપ્રધાન રાજીવ ગાંધી શરૂઆતમાં ભ્રષ્ટ નહોતા, પરંતુ કેટલાક લોકોના પ્રભાવમાં આવી બોફોર્સ ભ્રષ્ટાચા મામલે સામેલ થઇ ગયા હતા.
S Nirupam: When PM called Rajiv Gandhi 'Bhrashtachari no.1' he was criticised so much that he can't say that again. Aisa lag raha hai Satya Pal Malik, Modi ji ki chaaploosi kar rahe hain, chamchagiri kar rahe hain taaki unki kursi bachi rahe. Guvs should maintain dignity. (10.05) https://t.co/bh6NY7Hf25