CISFનાં અધિકારી સાથે વાત કરતા ના. કલેક્ટરે કહ્યું હજુ પણ આદિવાસીઓ લોકો જંગલમાં જડી-બુટી ખાય છે, પહેલા બહાર ચડ્ડી પહેરીને બેસતા હતા. હવે નોકરી મળી ગઈ છે
નર્મદાના નાયબ કલેક્ટરનો વિવાદિત ઓડિયો વાયરલ
આદિવાસીઓ વિરૂદ્ધ કરી ટિપ્પણી
રોષને પગલે કેવડિયા રહેશે બંધ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાબદારી નિભાવી રહેલા નાયબ કલેક્ટરનો એક વિવાદીત ઓડીયો વારયલ થયો છે. જેમાં CISFના એક ઓફિસર સાથેની વાતચિતમાં ના.કલેક્ટર નિલેશ દુબેનો આદિવાસીઓને લઈ પોતાનો વાહિયાત અને કુંઠીત પુર્વાગ્રહ ઉજાગર થયો હતો.
વીડિયોમાં અધિકારી નિલેશ દુબેએ આદિવાસીને સંસ્કાર વગરના પણ કહી દીધા હતા. તેમની આ ઓડિયો ક્લીપ વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. કોઈ સમાજ પર પુર્વાગ્રહ રાખી આ નિવેદન આપ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. વાયરલ ઓડિયોમાં તે કહી રહ્યા છે કે આ લોકોને પહેલા ખાવાનુ પણ નહોતુ મળતુ. બહાર ચડ્ડી પહેરીને બેસતા હતા. ત્યારે સવાલ એ થયા છે કે જવાબદાર પોસ્ટ પર બેઠેલા આ અધિકારી સત્તાના મદમાં કેમ મનફાવે તેમ નિવેદન કરી રહ્યા છે? કોઈ સમાજ પર આવી ટિપ્પણી કરવી કેટલી યોગ્ય છે? શું અધિકારી નિલેશ દુબે આ માટે માફી માંગશે? શું નર્મદા તંત્ર આ અધિકારી સામે પગલાં લેશે?
શું છે વાયરલ ઓડિયો ક્લિપમાં?
નિલેશ દુબે : શર્માજી..
શર્મા : હા જી સર..
નિલેશ દુબે : આ આદિવાસી લોકો છે. આ લોકોને પહેલા ખાવાનુ પણ નહોતુ મળતુ. બહાર ચડ્ડી પહેરીને બેસતા હતા. હવે નોકરી મળી ગઈ છે.. પેન્ટ.. હેલ્લો
શર્મા : સાંભળી રહ્યો છુ, સર.. સાંભળી રહ્યો છુ
નિલેશ દુબે : હવે પેન્ટ શર્ટ પહેરવા લાગ્યા છે.. હજુ પણ જંગલમાં જડી-બુટી ખાય છે. આ લોકોમાં સંસ્કાર નથી હોતા
શર્મા : અચ્છા, અચ્છા...
નિલેશ દુબે : હુ તમને સમજાવીશ
શર્મા : હા કાઈન્ડલી, બીજો કોઈ વાંધો નથી
કેવડીયા બંધનું એલાન
આદિવાસી સમાજ વિરૂદ્ધ ટિપ્પણીને લઈ યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળામાં સફેદ ટાવર ખાતે વિરોધ પ્રદર્શન પણ કરાયુ હતુ. સાથે માગ કરાઈ હતી કે, આ અધિકારી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે. અધિકારી સામે કેવડીયામાં એટલે રોષ વ્યાપો છે કે, આવતીકાલે કેવડિયા બંધનુ પણ એલાન આપવામાં આવ્યુ છે. આ બંધમાં આદિવાસી કર્મચારીઓ પણ જોડાશે.