ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. એવામાં જરૂરી છે કે નિશ્ચિત અંતર પર શુગર લેવલ ચેક કરાવતા રહો. ચાલો જાણીએ કે શુગર લેવલ કેટલું હોવું જોઈએ અને આપણે તેને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ.
ડાયાબિટીસ એક ખતરનાક રોગ
સમય સમય પર કરાવતા રહો શુગર ચેક
જાણો કેટલી ઉંમરમાં કેટલું હોવું જોઈએ શુગર લેવલ
ડાયાબિટીસની બિમારી વધતી જઈ રહી છે. પહેલા આ બીમારી મોટી ઉંમરના લોકોને ઝપેટમાં લેતી હતી. પરંતુ હવે ખરાબ જીવનશૈલીના કારણે નાની ઉંમરના લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. સામાન્ય રીતે જો શુગર લેવલ 180 હોય તો તેને ખતરનાક માનવામાં આવે છે.
ઉંમર પ્રમાણે ડાયાબિટીસનું સ્તર પ્રભાવિત થાય છે. શુગરનું સ્તર આપણી ફૂડ સ્ટાઇલ પ્રમાણે પ્રભાવિત થાય છે. જો તમે શુગરના દર્દી છો, તો જાણો કઈ સ્થિતિમાં શુગર લેવલ કેટલું હોવું જોઈએ અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય.
યુવાનોમાં કેટલું હોવું જોઈએ શુગર લેવલ?
યુવાનો માટે 140 મિલિગ્રામ શુગરનું લેવલ ખતરનાક બની શકે છે. જો તમારી ઉંમર 18 થી ઉપર અને 40 થી ઓછી છે તો શુગર લેવલનું ધ્યાન રાખવું જરૂરી છે. 140 શુગર હોય ત્યારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. બીજી તરફ જો ઉપવાસ અથવા ઓછું ખાવા દરમિયાન શુગરનું સ્તર 99 થઈ જાય તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિની ઉંમર 40-50ની વચ્ચે હોય તો શુગરનું લેવલ 150થી વધુ ન હોવું જોઈએ. જો સુગર લેવલ જમ્યા પહેલા 130 અને જમ્યા પછી 150 થી વધુ હોય તો તે નુકસાનકારક હોઈ શકે છે. જો ઉપવાસ દરમિયાન શુગર લેવલ 130 થી ઉપર જાય તો ચિંતાનો વિષય બની શકે છે.
આ રીતે કંટ્રોલ કરો ડાયાબિટીસ
ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે લોકોની જીવનશૈલી ડાયાબિટીસનું મહત્વનું કારણ બની ગઈ છે. જો તમે ડાયાબિટીસનું સ્તર સુધારવા માંગતા હોવ તો જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે તમારે ભોજન અને શારીરિક પ્રવૃત્તિમાં ફેરફાર કરવો જોઈએ.
યોગ અને કસરત કરો
સતત બેસી રહેવાથી શુગર લેવલ વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ શારીરિક પ્રવૃત્તિ પર વધુ ધ્યાન આપવું જોઈએ. શુગરના દર્દીઓએ તેમના રૂટિનમાં યોગ અને કસરતનો સમાવેશ કરવો જોઈએ. જો તમને ઝડપથી થાક લાગે છે તો 5-10 મિનિટ યોગ કરવાથી પણ ફાયદો થઈ શકે છે.
આ વસ્તુઓનું સેવન ટાળો
ગળી વસ્તુઓ ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેરનું કામ કરે છે. આવી વસ્તુઓને સંપૂર્ણપણે ટાળવી જોઈએ. મીઠાઈ, ઠંડા પીણા જેવી વસ્તુઓ ટાળવી જોઈએ. સોડિયમની વધુ માત્રા ડાયાબિટીસમાં પણ હાનિકારક હોઈ શકે છે, તેથી મીઠાનું વધુ પડતું સેવન પણ ટાળવું જોઈએ. ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ વસ્તુઓ જેમ કે ચોખા, બટાકા વગેરેનું સેવન ટાળવું જોઈએ.