કોરોનાની બીજી લહેરમાં ભારત સરકારના અલગ અલગ મંત્રાલયોમાં કામ કરતાં આ વર્ગના ઘણા બધા કર્મચારીઓને ઘણી રાહત આપવામાં આવી છે.
ભારત સરકારના અલગ અલગ મંત્રાલયોમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતાં કર્મચારીઓને ઘણી મોટી રાહત
કેન્દ્રીય કર્મચારીઓ માટે બીજા પણ એક સારા સમાચાર છે
કેન્દ્રીય કર્મચારીઓનો પગારમાં જુલાઈ મહિનામાં વધારો થઈ શકે છે
ભારત સરકારના અલગ અલગ મંત્રાલયોમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતાં કર્મચારીઓને ઘણી મોટી રાહત
કોરોનાના આ સંકટમાં કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ભારત સરકારના અલગ અલગ મંત્રાલયોમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતાં કર્મચારીઓને ઘણી મોટી રાહત આપી છે. 1 એપ્રિલથી 30 જૂન 2021 સુધીનો આખો પગાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બીજી લહેરના લોકડાઉન સમયે આ બધા જ કર્મચારીઓ ઘરે હતા. કેન્દ્ર સરકારે બધા જ મંત્રાલયોને આદેશ આપ્યો છે કે બીજી લહેરમાં લાગુ પાડવામાં આવેલ લોકડાઉન સમયે ઘરે રહેલ તમામ કર્મચારીઓને "ઓન ડયુટી" ગણવામાં આવે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે બીજા પણ એક સારા સમાચાર છે
કેન્દ્રીય કર્મચારીઓ માટે બીજા પણ એક સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓને ત્રણ પેન્ડિંગ હપ્તા પણ ચુકવાશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા દરથી ડીએ ચુકવાય છે. અને જ્યારે 1 જુલાઈથી તેમનું મોંઘવારી ભથ્થું વધીને 28 ટકા થઈ જશે ત્યારે તેમના પગારમાં અનેક ગણો વધારો થઈ જશે તે નક્કી છે. આ વાતચીતમાં કર્મચારીઓના ડીએ અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નાણા મંત્રાલયની ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ પર્શનલ એન્ડ ટ્રેનિંગના અધિકારાીઓ પણ સામેલ થવાના છે. આ બેઠક મેના પહેલા અઠવાડિયામાં થવાની હતી પરંતુ કોરોનાને કારણે બેઠકને ટાળી દેવામાં આવી હતી.
કેન્દ્રીય કર્મચારીઓનો પગારમાં જુલાઈ મહિનામાં વધારો થઈ શકે છે
કેન્દ્રીય કર્મચારીઓનો પગારમાં જુલાઈ મહિનામાં વધારો થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થું ચુકવાય છે. જુલાઈથી મોંઘવારી ભથ્થું 11 ટકાથી વધીને 28 ટકા થવાની ધારણા છે તેનાથી તેમની સેલેરીમાં મોટો વધારો થઈ શકે છે. કર્મચારીઓને સીધો બે વર્ષનો ફાયદો મળવાનો છે કારણ કે જાન્યુઆરી 2020 માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં બીજી વાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો હતો આ રીતે કુલ 28 ટકા ભથ્થું થયું છે.