બ્રેકિંગ ન્યુઝ
VTV / Contractors to get 75% funds under new rule
Hiralal
Last Updated: 04:48 PM, 10 November 2021
ADVERTISEMENT
બાંધકામ સંબંધિત કોઈ વિવાદના કિસ્સામાં બેન્ક ગેરન્ટી લઈને કોન્ટ્રાક્ટર્સને 75 ટકા રકમ જારી કરવાની મંજૂરી આપતો નવો નિયમ સરકારે બનાવ્યો છે. આર્થિક મામલોની કેબિનેટ સમિતી (CCEA)એ નવેમ્બર 2019 માં સરકા
કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ નવેમ્બર 2019માં સરકારી વિભાગોને આર્બિટ્રેશન પેનલ દ્વારા આપવામાં આવેલા આદેશના 75 ટકા કોન્ટ્રાક્ટરને ચૂકવવા જણાવ્યું હતું. આ જોગવાઈ આર્બિટ્રેશન આર્બિટ્રેશનના આદેશને પડકારવાના કિસ્સામાં લાગુ થવાની હતી.
ADVERTISEMENT
નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 29 ઓક્ટોબરના રોજ જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે આર્બિટ્રેશન પેનલના આદેશને પડકારવાના કિસ્સામાં, ચૂકવવા માટે કહેવામાં આવેલી રકમના 75 ટકા રકમ બેન્ક ગેરન્ટી લઈને કોન્ટ્રાક્ટર્સને જારી કરવામાં આવશે. આમાં આર્બિટ્રેશનના નિર્ણયની તારીખ સુધી બાકી રહેલી રકમ પરના વ્યાજનો પણ સમાવેશ થઈ શકે છે.
શું લાભ મળશે કોન્ટ્રાક્ટર્સને
બાંધકામ સંબંધિત વિવાદના કિસ્સામાં સરકાર બેન્ક ગેરન્ટી લઈને કોન્ટ્રાક્ટર્સને 75 ટકા રકમ જારી કરશે.
બેંક ગેરંટી માત્ર 75% રકમ માટે જ આપવાની રહેશે.
આ માટે ખર્ચ વિભાગે જનરલ ફાઇનાન્શિયલ રૂલ્સ (GFR)માં નવો નિયમ 227A પણ ઉમેર્યો છે. આ મુજબ, કોન્ટ્રાક્ટરે માત્ર 75 ટકા રકમ માટે બેંક ગેરંટી આપવાની રહેશે અને ચૂકવવાપાત્ર વ્યાજ પર નહીં. આ ચુકવણી નિશ્ચિત એસ્ક્રો એકાઉન્ટમાં એક જવાબદારી સાથે કરવામાં આવશે કે તેમાં જમા કરવામાં આવેલી રકમનો ઉપયોગ પહેલા બાકી લોન ચૂકવવા માટે કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ સંબંધિત પ્રોજેક્ટને પૂર્ણ કરવા અને પછી તે જ મંત્રાલય અથવા વિભાગના અન્ય પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. આ આદેશ અનુસાર, આ પછી પણ જો એસ્ક્રો એકાઉન્ટમાં થોડી રકમ બાકી રહે છે, તો કોન્ટ્રાક્ટર તેની બેંક અને મંત્રાલયની પૂર્વ પરવાનગી સાથે તેનો ઉપયોગ કરી શકે છે. આ મુજબ કોન્ટ્રાક્ટર પાસેથી રોકેલી કોઈપણ રકમ બેંક ગેરંટી લઈને મુક્ત કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.