નવાવાડજ વિસ્તારમાં આવેલા જલાભાઈની ચાલીમાં રહેતા જ્ઞાનસિંહ જાદવની ઘરમાં ઘુસી તેના કોટ્રાક્ટર અને અન્ય એક વ્યકિતએ જીવતો સળગાવીને મોતને ઘાટ ઉતારતા ચકચારમચી ગઈ છે. જ્ઞાનસિંહે કોન્ટ્રાક્ટર પાસે પોતાની મહેનતનાં રુપિયા માંગ્યા હતાં. જે નહીં આપતા તેને આ ઘટનાને અંજામ આપ્યો છે.
મૃતક મધ્યપ્રદેશો રહેવાસી હતો, કલરકામ કરતો હતો
તુ કેમ મારા ઘરે પૈસા લેના આવ્યો હતો કહી યુવકને જીવતો સળગાવ્યો
ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
મૃતક મધ્યપ્રદેશો રહેવાસી હતો
નવાવાડજ વિસ્તારમાં આવેલા જલાભાઈની ચાલીમાં રહેતા જ્ઞાનસિંહ જાદવનું આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્ઞાનસિંહ જાદવ મુળ મઘ્યપ્રદેશનાં બઘોરગામનો રહેવાસી છે. છેલ્લાં ઘણાં સમયથી નવાવાડજ વિસ્તારમાં એકલો રહે છે અને કલરકામનું કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્ઞાનસિંહનાં ઘરની નજીક કોલર કામનો કોન્ટ્રાક્ટર સોનું તેમજ કરિયાણાની દુકાન ધરાવતો અનિલ રહે છે.
તુ કેમ મારા ઘરે પૈસા લેના આવ્યો હતો કહી યુવકને જીવતો સળગાવ્યો
જ્ઞાનસિંહને સોનું પાસે કલર કામનાં રુપિયા લેવાનાં બાકી હતાં. જેથી તે તેની પાસે રુપિયાની માંગ કરતો હતો. સોનુ રુપિયા આપવાની જગ્યાએ જ્ઞાનસિંહ પાસે બોલાચાલી કરીને ઝઘડો કરતો હતો. ગઈકાલે સવારે જ્ઞાનસિંહ સોનુનાં ઘરે રુપિયા લેવા માટે ગયો હતો. જ્યાં તેને કહ્યું હતું કે તારા કલર કામના પૈસા હું આપવાનો નથી. તારાથી થાય તે કરી લે...રુપિયા નહી આપતા જ્ઞાનસિંહ પોતાના ધરે પરત આવી ગયો હતો. થોડાક સમયબાદ સોનુ અને અનિલ જ્ઞાનસિંહના ઘરે આવ્યા હતા અને તું કેમ મારા ઘરે પૈસા માંગવા માટે આવેલો હતો તેમ કહીને ઝધડો કરી મારામારી કરી હતી. આ દરમિયાન અનિલે ઘરમાં પડેલુ કેરોસીનનો ડબો સોનુંને આપ્યો હતો અને તેને જ્ઞાનસિંહ પર છાંટીને દિવાસળી ચાંપીને નાસી ગયા હતા.
ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
આગની જ્વાળાઓમાં લપટાયેલો જ્ઞાનસિંહ ચીસો પાડતો પાડતો ઘરની બહાર આવી ગયો હતો. સ્થાનિકોએ આગ બુઝાવી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસ મેજિસ્ટ્રેટની સમક્ષ નિવેદન આપ્યું હતું. જેના આધારે પોલીસે સોનુ અને અનિલ વિરુધ્ધમાં હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ ગયેલા જ્ઞાનસિંહે આજે દમ તોડી નાંખતા પોલીસ હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર જે. એ. રાઠવાએ જણાવ્યું છે કે મોડીરાત્રે જ્ઞાનસિંહનું મોત થયું છે. જેમાં બન્ને આરોપોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.