લોકોને નગરપાલિકા પાસેથી સુવિધાઓ તો અનેક જોઈએ છે પરંતુ સમયસર કર ચુકવવાની વાત આવે ત્યારે આનાકાની કરે છે. ટેક્સ ચુકવવામાં ધાંધિયા કરે છે. ત્યારે પાલિકાની પણ મોટી મુંઝવણ હોય છે કે આ ટેક્સની વસુલાત કેવી રીતે કરવી. જોકે એક નગરપાલિકાએ આ વાતનો તોડ મેળવી લીધો છે વસૂલાત માટે નવો માર્ગ શોધી કાઢ્યો છે. શું છે આ કીમિયો જોઈએ.
પંચાયત પાલિકાની સૌથી મોટી મહામારી હોય તે તો વેરા વસુલાતની છે. વેરો વસુલવામાં પાલિકાઓને આંખે અંધારા આવી જાય છે. લોકોની માનસિક્તા એવી હોય છે કે જ્યાં સુધી ચાલે છે ત્યા સુધી ચાલવા દો.લોકોની કર વેરા ભરવાને લઈને એવી માનસિક્તા છે કે કોઈ વાંધો પડશે તો સમાધાન શુલ્ક ભરીને બચી જઈશું. આ કારણે જ પાલિકાઓને પોતાના બજેટના ટાર્ગેટ પુરા કરવામાં ફાંફા પડે છે. ખર્ચની સામે વેરા વસુલાત ઓછા પડે ત્યારે પાલિકાએ પણ અવનવા કિમિયા અજમાવવા પડે છે. ત્યારે ભૂવનેશ્વર કોર્પોરેશન દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમણે એવા લોકોને આ કર વસૂલવા આપ્યો છે કે કિન્નરોને કોન્ટ્રાક્ટ.
પાલિકા દ્વારા આવા ઉપાયો કરવામાં આવે છે
બાકી વેરો વસૂલવા માટે કોઈક પાલિકા ક્યારેક ઢોલ વગાડીને કરદાતાને શરમમાં મુકીને વેરો વસુલવાનો પ્રયાસ કરે છે તો ક્યારેક નોટિસો લગાવીને શરમમાં મુકવાનો પ્રયાસ કરે છે. હ્યુમન સાઈકોલોજી પ્રમાણે માણસ શરમમાં મુકાય તો વેરો ઝડપથી ચુકવે છે. એટલે પાલિકા દ્વારા આવા ઉપાયો કરવામાં આવે છે. જો કે કરદાતાઓ પાસેથી વેરો વસુલવાનો શ્રેષ્ઠ ઉપાય ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરના સત્તાધીશોએ શોધી લીધો છે.
આ મિશનમાં લોકોનો સારો પ્રતિભાવ મળ્યો છે
ભૂવનેશ્વર કોર્પોરેશને ટેક્સ ડિફોલ્ટર્સ પાસેથી કરની વસુલાત માટે 11 કિન્નરોને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કિન્નરોને કામ સોંપવાનું સકારાત્મક પરિણામ પણ આવ્યું છે. કિન્નરોએ 15 દિવસથી ચાલુ કરેલી ટેક્સ કલેક્શન ડ્રાઇવથી ડિફોલ્ટર્સ ચુકવણી કરવા માટે તૈયાર થયા છે. કાોર્પોરેશને કિન્નરોને 11 કરોડ રૂપિયાના કરની વસૂલાત માટેનો ટાર્ગેટ આપ્યો છે. કામ શરૂ કર્યા પહેલા કિન્નરો સાથે કાોન્ટ્રાક્ટ પણ કર્યો છે. કિન્નરોને 30 લાખ રૂપિયાની વસૂલી સામે 1 ટકા કમિશન આપવામાં આવે છે. જ્યારે 40થી 60 લાખની વસૂલી સામે 1.5 ટકા કમિશન આપવામાં આવે છે અને 60 લાખથી વધુની વસૂલાત માટે 2 ટકા કમિશન આપવામાં આવે છે. કિન્નરોને કોન્ટ્રાક્ટ આપવા અંગે કોર્પોરેશનું કહેવું છે, ‘આ પ્રયોગ ઉમદા હેતુથી કરવામાં આવ્યો છે. આનાથી કિન્નરોને રોજગારી મળશે અને તંત્રનું બાકી નિકળતું લેણુ પણ ચૂકવાશે તો આવક થશે. આ મિશનમાં લોકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. ’