રાજ્યમાં થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. આથી સાવચેતી રાખવી આવશ્યક બની છે. આજે 24 કલાકમાં કોરોનાના 241 નવા દર્દીઓ ઉમેરાયા છે.
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો
છેલ્લા 24 કલાકમાં 241 કેસ નોંધાયા
એક્ટિવ કેસ વધીને 1291 પર પહોંચ્યા
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 241 પોઝીટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 80 કેસ નોંધાયા
અમદાવાદમાં 80 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 34 ,મોરબી 23 અને રાજકોટમાં 28 કેસ નોંધાયા છે. સુરતમાં 25 ,મહેસાણા 9 અને ગાંધીનગરમાં 5 કેસ તેમજ કચ્છ 5 આણંદ 4 વલસાડમાં 4 કેસ અમરેલીમાં 03 અને પાટણ 03 પંચમહાલમાં 02 કેસ સામે આવ્યા છે. ભાવનગર 02 અને જામનગરમાં 03 અને બોટાદ 01 તેમજ ગીર સોમનાથમાં 01 અને ખેડા,પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2023
6 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 736 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
129 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 241 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.04 ટકા નોંધાયો છે. તેમજ આજે 129 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1291 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 129 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 736 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી સજા થવાનો દર 99.04 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.04 ટકા છે. અત્યાર સુધીમાં 12,67,419 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન
કોરોનાનાં વધતાં મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને તેલંગાણાનાં મુખ્ય સચિવને ચિઠ્ઠી લખીને જરૂરી સાવચેતી અને કોવીડ વિરોધી ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી છે.