2009માં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા ન્યાયધીશો પર ટિપ્પણી સાથે જોડાયેલ અવમાનના મામલે ઉચ્ચ ન્યાયાલયે આજે મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઈ)એસ એ બોબડેને અનુરોધ કર્યો કે આને અદાલતની ઉપયુક્ત પીઠ સમક્ષ રજૂ કરવામાં આવે. અદાલતે આ મામલામાં 10 સપ્ટેમ્બરે એક અન્ય પીઠની સમક્ષ સૂચીબદ્ધ કર્યુ છે ત્યારે થશે સુનવણી.
જજ અરુણ મિશ્રાએ કહ્યું કે મારી પાસે સમયનો અભાવ છે
આ માટે 4 થી 5 કલાકની વિસ્તૃત સુનવણીની જરુર છે
10 સપ્ટેમ્બરે એક અન્ય પીઠની સમક્ષ સુનવણી થશે
મંગળવારે સુનવણી દરમિયાન જજ અરુણ મિશ્રાએ કહ્યું કે મારી પાસે સમયનો અભાવ છે. હું નિવૃત્ત થવાનો છું. આ માટે 4 થી 5 કલાકની વિસ્તૃત સુનવણીની જરુર છે. અદાલતે કહ્યુ કે સજાનો સવાલ નથી. આ સંસ્થામાં વિશ્વાસનો સવાલ છે. જ્યારે લોકો રાહત માટે અદાલતમાં આવે અને લોકોનો વિશ્વાસ ડગમગી જાય છે તો એક સમસ્યા બને છે. ઉલ્લેખનીય છે કે જજ મિશ્રા 2 સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના છે.
Supreme Court defers to September 10. the 2009 contempt case against lawyer Prashant Bhushan for his tweets against former SC judges. SC requests Chief Justice to place it before appropriate bench pic.twitter.com/a9SBcy4CyK
ભૂષણના વકીલ રાજીવ ધવને તર્ક આપ્યો હતો કે જજો દ્વારા ભ્રષ્ટાચારના સંદર્ભમાં કોઈ પણ સવાલ અવમાનના છે કે નહીં તે માટેની તપાસ એક સંવિધાનીક પીઠ દ્વારા થવી જોઈએ.
શું છે મામલો
11 વર્ષ પહેલા પ્રશાંત ભૂષણે સમાચાર પત્રિકા તહેલકામાં પોતાના ઈન્ટરવ્યૂમાં સર્વોચ્ચ અદાલતના કેટલાક પીઠાસીન અને સેવા નિવૃત્ત જજો પર કથિત રુપે આક્ષેપ લગાવ્યો હતો. તેજપાલ આ પત્રિકાના સંપાદક હતા. આ પહેલા 17 ઓગસ્ટના રોજ સુનવણીમાં ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, બીઆર ગવઈ અને કૃષ્ણ મુરારીની 3 બેંચની પેનલે કહ્યું કે આના લાંબા ગાળાના પરિણામો છે. પીઠ વકીલોને સાંભળવા માંગે છે શું જજોની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા નિવેદનો આપી શકાય છે. આવી સ્થિતિમાં શું પ્રક્રિયા કરવી જોઈએ.