હાઈકોર્ટના આદેશનો તિરસ્કાર કરતા અધિકારીઓ ટેન્શનમાં મૂકાયા છે. ભાવનગરના અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો તિરસ્કાર કરવો ભારે પડ્યો છે.
ગુજરાત હાઇકોર્ટનો તિરસ્કાર કરવો પડ્યો ભારે
ભાવનગરના અધિકારીનો કોર્ટે લીધો ઉધડો
ફોન કરી દો ઘરે નહીં પહોંચો અમે તમને જેલ મોકલીએ છીએઃ હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે અધિકારીઓને કોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. અગાઉ કોર્ટે અરજદારને વળતર આપવા હુકમ કર્યો હતો. આ કોર્ટના હુકમનો અધિકારીઓએ તિસ્કાર કર્યો હતો. અને હાઇકોર્ટનો હુકમ હોવા છતાં અધિકારીએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો ન હતો. આથી ભાવનગરના અધિકારીનો હાઇકોર્ટે ઉધડો લીધો હતો.
ફોન કરી દો ઘરે નહીં પહોંચી શકો અમે તમને જેલ મોકલીએ છીએઃ હાઈકોર્ટ
સર્વિસ મેટર બાબતે કોર્ટના આદેશ પ્રમાણે તેનું પાલન ન થતા ચીફ જસ્ટિસ અરવિંદકુમારે ભાવનગરના અધિકારીને બોલાવી પોતાના ઘરે કોલ કરી, કોર્ટ તેમને જેલ મોકલી રહી હોવાની જાણ કરવા માટે કહી દીધું હતું. આથી કન્ટેમ્પ ઓફ કોર્ટ મામલે હાઇકોર્ટે હુકમ કર્યો હતો. આ હુકમ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એક્સિક્યુટિવ અધિકારી સામે કર્યો હતો.
કાયમી કર્મચારીને રજાનો લાભ આપવામાં આવ્યો ન હતોઃ વકીવ મુકેશ મિશ્રા
રોજમદાર મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. આ રોજમદાર 10 વર્ષના કામ બાદ કાયમી થયેલ હતો. કાયમી કર્મચારી તરીકેના લાભમાં 300 રજાનું વળતરનો લાભ આપવામાં આવ્યો ન હતોઃ આ રોજમદારને રજા ન આપવામાં આવતા મામલો કોર્ટે પહોંચ્યો હતો. આ મામલે વધુ સુનાવણી આગામી 16 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
જોકે સરકારી વકીલે તેમના વતી એક અઠવાડિયામાં અરજદારને નિવૃત્તિના લાભ આપવાની ખાતરી આપી હતી, જ્યારબાદ કોર્ટે ઉદાર વલણ દાખવ્યું હતું.