કોરોના ટેસ્ટિંગ પર કેન્દ્ર સરકારે આજે એક નવી ગાઈડલાઈન બહાર પાડીને જણાવ્યું છે કે કેવા લોકો માટે ટેસ્ટની જરુર નથી.
કોરોના ટેસ્ટિંગ પર કેન્દ્રની નવી ગાઈડલાઈન
કોરોના દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોએ તપાસની જરુર નથી
વૃદ્ધો અને બીમારીથી પીડિત લોકો કોરોના ટેસ્ટ કરાવે
ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)કોરોના ટેસ્ટિંગ પર એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. નવી ગાઈડલાઈનમાં કોરોના દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોએ તપાસની જરુર નથી એવું કહેવાયું છે. ICMRએ તેની ગાઈડલાઈનમાં એવું જણાવ્યું છે કે ફક્ત વૃદ્ધો અથવા તો પહેલેથી કોઈ ગંભીર બીમારીથી પીડિત હાઈ રિસ્ક વાળા સંપર્કોએ જ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.
ગંભીર બીમારીથી પીડિત લોકોએ કોરોના ટેસ્ટની જરુર
ICMRના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોમ આઈસોલેશન પછી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અથવા કોવિડ-19 સુવિધામાંથી રજા આપવામાં આવેલા દર્દીઓના ટેસ્ટિંગની જરૂર નથી. જોકે, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો અથવા સ્વાદ અથવા ગંધનો અભાવ અને અન્ય કોવિડ લક્ષણો જેવા લક્ષણો ધરાવતા લોકોએ ટેસ્ટિંગની જરૂર છે, તેમજ જેઓ 60 વર્ષના છે અથવા જેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ફેફસા અથવા કિડનીની બીમારી વગેરે જેવા રોગો છે તેમણે પણ ટેસ્ટિંગની જરૂર છે. ICMRએ હોસ્પિટલો માટે એવો નિર્દેશ આપ્યો કે ટેસ્ટિંગની અછત માટે કોઈ પણ ઈમરજન્સી પ્રક્રિયામાં વિલંબ ન કરવો જોઈએ.
ICMRની નવી ગાઈડલાઈનની મહત્વની બાબતો
કેવા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ
વૃદ્ધો અથવા તો ગંભીર બીમારીથી પીડિત હાઈ રિસ્ક વાળા સંપર્કોએ કોરોના ટેસ્ટ કરાવવો
ખાંસી, તાવ, ગળામાં દુખાવો જેવા કોરોનાના લક્ષણો જોવા મળે તો ટેસ્ટની જરુર
60 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ટેસ્ટ જરુરી
In fresh advisory for testing COVID samples, ICMR says contacts of COVID patients do not need testing unless identified as high risk based on age or comorbidities pic.twitter.com/iv3TmH0yHs