સ્વાદ વગર તહેવાર અધુરો હોય છે. ધનતેરસ અને દિવાળી બાદ ભાઇબીજનો તહેવાર પણ આવે છે, ત્યારે અલગ અલગ મિઠાઇઓ અને પકવાન જમતા હોઇએ છીએ. તહેવારોમાં બહારનું ખાધા બાદ શરીરમાં તકલીફો થવા લાગે છે. તેનાથી જો બચવું હોય તો આટલું જરૂર ધ્યાનમાં રાખજો.
તહેવારોમાં રાખો હેલ્થનું ધ્યાન
તળેલુ ખાવાથી થાય છે નુકસાન
સ્વાદની લાલચમાં બિમાર ન થતા
તળવાની જગ્યાએ ફ્રાય કરો
તહેવારોની સિઝનમાં તળેલુ ખાવાથી તમે ઇન્કાર ન કરી શકો તો તેના માટે એક વિકલ્પ છે. ખાવાની જે ચીજને તમે તળવા ઇચ્છતા હોય તેને ફ્રાઇ કરવાનો પ્રયત્ન કરો, જેથી તેલના સેવનથી તો તમે બચશો જ પરંતુ જમવાનો સ્વાદ પણ બેગણો થઇ જશે.
ખાંડને રિપ્લેસ કરો
તહેવારોમાં સૌથી વધારે મિઠાઇ ખવાય છે, કારણકે મીઠાઇ વગર તહેવાર સાવ અધુરો માનવામાં આવે છે. દરેકના ઘરે જાત જાતની મિઠાઇઓ પીરસવામાં આવે છે, તો તેની જગ્યાએ અંજીર, ખજુર કે કેસરથી તમારી ડિશને સ્વાદિષ્ટ બનાવો.
મિલ્ક ચોકલેટની જગ્યાએ ડાર્ક ચોકલેટ
ભાઇ બીજ પર હવે મિઠાઇઓની સાથે ચોકલેટનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે, જો કે બંને ચીજ વજનને ઝડપથી વધારે છે. આ ફેસ્ટિવલમાં વ્હાઇટ કે મિલ્ક ચોકલેટની જગ્યાએ ડાર્ક ચોકલેટ ખાવ.
ક્રિમને કરો રિપ્લેસ
આ તહેવારોમાં કંઇક નવું ટ્રાય કરો, ડિનરમાં ક્રિમી જગ્યાએ ક્રશ કરેલો એવોકાડોનો ઉપયોગ કરો.