ઉનાળો શરૂ થઇ રહ્યો છે. સિઝન પ્રમાણે ખાનપાન પણ અલગ હોય છે. ઠંડીની ઋતુમાં આપણે જે આહાર આરોગીએ છીએ તેની મજા આપણને ગરમીમાં નહીં જ આવે.
ગરમીમાં શરીરનુ ખાસ ધ્યાન રાખો
આંતરિક ઠંડક માટે ખાઓ આ ફૂડ
ગરમીમાં હેલ્થ સાચવવી જરૂરી
સિઝન પ્રમાણે આહારમાં પરિવર્તન કરવું જરૂરી છે. ગરમીમાં શરીરને ઠંડક મળે તેવો આહાર અને પીણાં આપણને ખુશી આપે છે. જો આ ઋતુમાં ખોરાક સારો ન હોય તો ઘણા રોગો થઈ શકે છે. આવી સ્થિતિમાં મોસમી ફળ સિવાય તમારે બીજી ઘણી વસ્તુઓ ખાવી જોઈએ, જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. આ ટિપ્સને ફોલો કરો અને સમરમાં તંદુરસ્ત રહો.
- દરરોજ સાતથી આઠ ગ્લાસ પાણી પીઓ. તેનાથી તમારા શરીરની પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત તમારા શરીરની સસિ્ટમ પણ સારી રાખશે.
- કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. તે શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ પણ હોય છે, જે આંતરડાંનું આરોગ્ય જાળવે છે. તે ત્વચાને પણ તંદુરસ્ત રાખે છે. આ સિઝનમાં કાકડીનું બને તેટલું સેવન કરો, પરંતુ રાતે કાકડી ન ખાવી જોઇએ.
- તરબૂચમાં ૯૨ ટકા પાણી હોય છે. તે ખાવાથી શરીરનું તાપમાન યોગ્ય રહે છે અને શરીર હાઈડ્રેટ રહે છે, સાથે જ તરબૂચમાં વિટાિમન-સી અને વિટામિન-એ પણ હોય છે, જે આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તરબૂચ ખૂબ ખાઇ લો.
- ફળોના રાજા કેરીની તો વાત જ કંઈક ઓર જ છે, જો તમે ઉનાળાની ઋતુમાં કેરી ન ખાધી તો શું ખાધું. કેરીમાં એવાં તત્ત્વો હોય છે, જે ત્વચાના રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામિન-એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ કેરી ખાતાં પહેલાં તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ તે ખાઓ.
- ઉનાળામાં નાળિયેર પાણી સૌથી વધુ ફાયદાકારક છે. નાળિયેર પાણી શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે તો ઉનાળામાં દરરોજ નાળિયેર પાણી પીઓ