કન્ઝ્યુમર કોર્ટે એક ભક્તને 14 વર્ષની રાહ જોવડાવવા માટે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમને 50 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.
ભક્તે તિરૂપતિ મંદિર સામે કન્ઝ્યુમર કોર્ટમા કર્યો કેસ
કોર્ટે ટીટીડીને ભક્તને 50 લાખ દંડ આપવા કહ્યું
14 વર્ષ સુધી વસ્ત્રલંકારા સેવા માટે ન આપી તારીખ
ભક્તે તિરૂપતિ મંદિર સામે કન્ઝ્યુમર કોર્ટમા કર્યો કેસ
તમિલનાડુનાં સલેમ સ્થિત કન્ઝ્યુમર કોર્ટે એક ભક્તને 14 વર્ષની રાહ જોવડાવવા માટે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમને 50 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનાં આદેશ અનુસાર, ભક્તને વસ્ત્રલંકારા માટે સેવા માટે નવી તારીખ મળે અથવા એક વર્ષમા 50 લાખ રૂપિયાનો દંડ દેવામાં આવે. આ પહેલો એવો કેસ છે જ્યારે કોઈ ભક્તે ટીટીડી સામે કન્ઝ્યુમર કોર્ટમા કેસ દાખલ કર્યો હોય.
કોવિડ મહામારીને કારણે માર્ચ 2020મા 80 દિવસ માટે મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. આ કારણે મંદિરમા થતાં વસ્ત્રલંકારાય સહિત બધી જ સેવાઓ રોકવામાં આવી હતી. ત્યારે ટીટીડીએ ભક્ત કેઆર હરિ ભાસ્કરને ઓફિશિયલ વક્તવ્ય આપતા પૂછ્યું હતું કે તેઓ વિઆઈપી બ્રેક દર્શન માટે કોઈ નવો સ્લોટ ઈચ્છે છે કે પછી રિફંડ? પણ ભાસ્કરે કોઈપણ તારીખ વસ્ત્રલંકારા માટે આપવાનું કહ્યું હતું.
ટીટીડીએ મંદિર સેવાને શેડ્યૂલ કરવાની પાડી ના
ટીટીડી પ્રશાસને સ્પષ્ટ કર્યું હતું કે વસ્ત્રલંકારા સેવાને રીશેડ્યૂલ કરવી સંભવ નથી અને તેમણે રિફંડ લેવા માટે કહેવામાં આવ્યું હતું. ભાસ્કરે ત્યાર બાદ જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગમાં ટીટીડી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. કન્ઝ્યુમરે ટીટીડીને વસ્ત્રલંકારા સેવા માટે એક વર્ષનિ અંદર સ્લોટ આપવા અથવા 50 લાખ રૂપિયા આપવવા કહ્યું છે.
ટીટીડી સામે કેસનો પહેલો મામલો
કોર્ટે મંદિરને ભાસ્કરને 2006થી આજની તારીખ સુધી 12,250 રૂપિયાની બુકિંગ કિંમત 24 ટકા પ્રતિ વર્ષ વ્યાજ સાથે આપવાનો આદેશ આપ્યો છે. આ પહેલો એવો મામલો છે કે જ્યારે કોઈ ભક્તે ટીટીડીની સેવામા ખોટ સામે કન્ઝ્યુમર કોર્ટમા ફરિયાદ દાખલ કરી હોય. લગભગ નવ દશકાઓ પહેલાઆ ટીટીડીની શરૂઆત થઈ હતી.