399 રૂપિયાની એક જોડી જૂતા પર ગ્રાહકોને આપવા પડ્યા 402 રૂપિયા. ગ્રાહકને 3000 રૂપિયાના વળતરની સાથે કેસ માચે પણ 1000 રૂપિયા આપવા પડ્યા. કંપનીએ દલીલ કરી કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને 3 રૂપિયા ચાર્જ લગાવવામાં આવ્યો.
ભારતની એક જાણીતી શૂઝ કંપનીને કેરીબેગના પૈસા ચાર્જ કરવાનું મોંઘું પડ્યું છે. ફોરમે કંપનીને દોષિત કરાર આપતા પૈસા પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે એ તરત સામાન ખરીદનાર પોતાના તમામ ગ્રાહકોને મફતમાં કેરીબેગ આપે. કોર્ટે ટિપ્પણી કરી છે કે જો કંપનીઓ સાચી રીતે પર્યાવરણ કાર્યકર્તા છે તો એમને પોતાના ગ્રાહકોને મફતમાં કેરીબેગ આપવી જોઇએ.
ફોરમે શૂઝ કંપનીને પેપર કેરીબેગ માટે ચાર્જ કરવામાં આવેલા 3 રૂપિયા પરત કરવા અને માનસિક પીડા અને ઉત્પીડન કરવા માટે 3000 રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ કર્યો છે. એક હજાર રૂપિયા કેસનો ખર્ચ આપવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ કંપનીને રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ ચંડીગઢના સેક્રેટરીના નામ પર કન્ઝ્યૂમર લીગલ એડ અકાઉન્ટમાં 5 હજાર રૂપિયા પણ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
ચંડીગઢના રહેવાસી પ્રસાદ રતૂડીએ ફોરમમાં આ શૂઝની કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં એમને જણાવ્યું કે 5 ફેબ્રુઆરી 2019ના રોજ એ આ કંપનીની શૉપ પર શૂઝ ખરીદવા માટે ગયો હતો. એને પોતાની પસંદની શૂઝ પસંદ કર્યા અને એના માટે કંપની તરફથી 402નું બિલ બનાવવામાં આવ્યું. કંપનીના કેશિયરે કેરીબેગમાં નાંખીને એમને શૂઝ આપ્યા, જેની પર એ કંપનીની જાહેરાત પણ હતી.
ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો કે ગ્રાહક પાસેથી કેરીબેગ માટે ચાર્જ કરીને કંપની પોતાની જાહેરાત કરી રહી હતી. એના કારણે ફરિયાદકર્તાએ ફોરમમાં ફરિયાદ કરતા કંપની પાસેથી કેરીબેગ માટે ચાર્જ કરવામાં આવેલી 3 રૂપિયાની રકમ પરત કરવા અને વળતર માંગવાની માગણી કરી.