શિયાળાની ઋતુમાં દરેક લોકોને શરદી-ખાંસીની સમસ્યા ખૂબ જલ્દી થઈ જાય છે. એવામાં ઘરગથ્થુ ઉપાયો તમને તેમાં રાહત આપી શકે છે. જાણો એવા અમુક ઉપાયો વિશે...
શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યા સામાન્ય
એવામાં આ વસ્તુઓનું કરો સેવન
શરદી-ખાંસી, વાયરલ, ફ્લૂ જેવી બિમારીઓ રહેશે દૂર
શિયાળાની ઋતુ ચાલી રહી છે એવામાં શરદી અને ખાંસી ઝડપથી થઈ જાય છે. શિયાળાની ઋતુમાં ખાંસી, શરદી, વાયરલ અને ફ્લૂ જેવી બીમારીઓ થવી સામાન્ય વાત છે. તેથી જ આ સિઝનમાં લાઈફસ્ટાઈલ અને આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
આદુ
આદુનું સેવન શરદીના તમામ લક્ષણોથી રાહત મેળવવા માટે મદદ કરે છે. આદુ ગરમ હોવાની સાથે જ એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે બંધ નાક, ગળાના દુખાવા સહિત અનેક રોગોમાં રાહત આપે છે. તેનું સેવન કરવા માટે તમે આદુની ચા લઈ શકો છો.
લસણ
શિયાળાની ઋતુમાં લસણનું સેવન અવશ્ય કરવું જોઈએ. આવું એટલા માટે કારણ કે લસણની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે અને શરદી, ફ્લૂ જેવી બીમારીઓથી બચાવે છે.
મધ
શિયાળાની ઋતુમાં મધનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે મધ તમારા શરીરને ગરમ રાખવાની સાથે ગળાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.
ડ્રાયફ્રૂટ્સ
દરેક ઋતુમાં સૂકો મોવો ખાઈ શકાય. પરંતુ જો તમે શિયાળામાં તમારા દિવસની શરૂઆત સૂકા મેવાથી કરો છો, તો તમે ખાંસી અને શરદીથી બચી શકો છો.