પૂજા-અર્ચના ઉપરાંત લોકો વ્રત કરીને દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. વ્રત વખતે તમે અમુક વસ્તુઓને ખાઈને એનર્જેટિક રહી શકો છો અને તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. જાણો તેના વિશે...
નવરાત્રીનું વ્રત કરવાના હોય તો ખાસ વાંચો
આ રીતે વ્રત દરમિયાન રહો એનર્જેટીક
આ વસ્તુઓનું કરો સેવન
દર વર્ષે 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થાય છે. 9 દિવસ સુધી ચાલતા આ શુભ દિવસોમાં માતા દુર્ગાના રૂપોની ઉપાસના કરવાનું ખાસ પ્રાવધાન છે. હિંદુ કેલેન્ડર અનુસાર ચૈત્ર નવરાત્રીની સાથે જ નવું હિંદૂ વિક્રમ સંવત 2080 પણ શરૂ થઈ જશે. નવ દિવસમાં દેવી દુર્ગાના 9 રૂપોની વિધિ-વિધાનથી પૂજા કરવાથી ખાસ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
પૂજા-અર્ચના ઉપરાંત લોકો વ્રત કરીને પણ દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. વ્રત વખતે તમે અમુક વસ્તુઓને ખાઈને એનર્જેટિક રહી શકો છો અને તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જાણો આ ફૂડ્સ વિશે...
સાબૂદાણાની ખિચડી
હેલ્થ માટે બેસ્ટ માનવામાં આવતા સાબુદાણાનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે. વ્રત રાખનાર માટે આ એક સુપરફૂડ છે કારણ કે તેનાથી વજન ઘટાડવા સહિત હેલ્ધી રહેવા જેવા ઘણા ફાયદા મળે છે. સાબુદાણાને તમે ઘણા પ્રકારથી ખાઈ શકો છો.
પરંતુ ચૈત્ર નવરાત્રી વખતે અથવા કોઈ પણ વ્રતમાં તેની ખિચડી બનાવીને ખાવી બેસ્ટ રહે છે. સિંધાલુણ વાળી સાબુદાણાની ખિચડીનો સ્વાદ ખુબ જ સારો આવે છે.
મખાનાની ખીર
મખાના ઘણા ન્યુટ્રિએન્ટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે અને તેના કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. મખાનાને ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી આખો દિવસ પેટ ભરેલું રહે છે. નવરાત્રીમાં ફળાહાર વ્રત વખતે તમે દૂધ અને મખાનાની ખીર તૈયાર કરી શકો છો.
ફ્રાઈ મખાના
ચૈત્ર નવરાત્રીમાં ફરાળ કરી વ્રત રાખ્યું હોય તો મખાનાને ઘીમાં ફ્રાય કરીને ખાઈ શકાય છે. એનર્જી આપતા મખાનાને ઘણા પ્રકારથી તૈયાર કરવું બેસ્ટ રહે છે કારણ કે આ ટેસ્ટ પણ લાવે છે. મખાનાને ફ્રાઈ કર્યા બાદ તેમાં સિંધાલુણ નાખીને ખાઓ. આ વ્રતનો દેશી સ્નેક્સ પણ કહેવામાં આવે છે.
ખજૂરથી બનેલી વસ્તુઓ
હેલ્ધી અને ટેસ્ટી ખજૂરમાંથી પણ ઘણી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. નવરાત્રીમાં તમે ખજૂરની ખીરનો ભોગ માતા દુર્ગાને લગાવી શકો છો. તેને પ્રસાદના રૂપમાં ખાવાની સાથે સાથે શરીરને પણ ઘણા ફાયદા થાય છે.