બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Consume these items during the Chaitri Navratri fast you will lose weight and have energy throughout the day
Arohi
Last Updated: 02:52 PM, 20 March 2023
ADVERTISEMENT
દર વર્ષે 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થાય છે. 9 દિવસ સુધી ચાલતા આ શુભ દિવસોમાં માતા દુર્ગાના રૂપોની ઉપાસના કરવાનું ખાસ પ્રાવધાન છે. હિંદુ કેલેન્ડર અનુસાર ચૈત્ર નવરાત્રીની સાથે જ નવું હિંદૂ વિક્રમ સંવત 2080 પણ શરૂ થઈ જશે. નવ દિવસમાં દેવી દુર્ગાના 9 રૂપોની વિધિ-વિધાનથી પૂજા કરવાથી ખાસ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
પૂજા-અર્ચના ઉપરાંત લોકો વ્રત કરીને પણ દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. વ્રત વખતે તમે અમુક વસ્તુઓને ખાઈને એનર્જેટિક રહી શકો છો અને તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જાણો આ ફૂડ્સ વિશે...
ADVERTISEMENT
સાબૂદાણાની ખિચડી
હેલ્થ માટે બેસ્ટ માનવામાં આવતા સાબુદાણાનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે. વ્રત રાખનાર માટે આ એક સુપરફૂડ છે કારણ કે તેનાથી વજન ઘટાડવા સહિત હેલ્ધી રહેવા જેવા ઘણા ફાયદા મળે છે. સાબુદાણાને તમે ઘણા પ્રકારથી ખાઈ શકો છો.
ADVERTISEMENT
પરંતુ ચૈત્ર નવરાત્રી વખતે અથવા કોઈ પણ વ્રતમાં તેની ખિચડી બનાવીને ખાવી બેસ્ટ રહે છે. સિંધાલુણ વાળી સાબુદાણાની ખિચડીનો સ્વાદ ખુબ જ સારો આવે છે.
ADVERTISEMENT
મખાનાની ખીર
મખાના ઘણા ન્યુટ્રિએન્ટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે અને તેના કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. મખાનાને ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી આખો દિવસ પેટ ભરેલું રહે છે. નવરાત્રીમાં ફળાહાર વ્રત વખતે તમે દૂધ અને મખાનાની ખીર તૈયાર કરી શકો છો.
ADVERTISEMENT
ફ્રાઈ મખાના
ચૈત્ર નવરાત્રીમાં ફરાળ કરી વ્રત રાખ્યું હોય તો મખાનાને ઘીમાં ફ્રાય કરીને ખાઈ શકાય છે. એનર્જી આપતા મખાનાને ઘણા પ્રકારથી તૈયાર કરવું બેસ્ટ રહે છે કારણ કે આ ટેસ્ટ પણ લાવે છે. મખાનાને ફ્રાઈ કર્યા બાદ તેમાં સિંધાલુણ નાખીને ખાઓ. આ વ્રતનો દેશી સ્નેક્સ પણ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ખજૂરથી બનેલી વસ્તુઓ
હેલ્ધી અને ટેસ્ટી ખજૂરમાંથી પણ ઘણી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. નવરાત્રીમાં તમે ખજૂરની ખીરનો ભોગ માતા દુર્ગાને લગાવી શકો છો. તેને પ્રસાદના રૂપમાં ખાવાની સાથે સાથે શરીરને પણ ઘણા ફાયદા થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.