તુલસી, અજમો, બદામ,લીંબુ મધ, ગ્રીન ટી સહિતની વસ્તુઓ શરીર માટે ખૂબ જ ઉપયોગી હોવાથી તેના સેવનથી શરીરને અદભુત ફાયદો મળી શકે છે.
રોજ સવારે આટલી વસ્તુનું સેવન કરો
તુલસી, અજમો, બદામના સેવનથી શરીરને અદભુત ફાયદો
વજન ઉતારવામાં ઉપયોગી ગ્રીન ટી
લોકો સવારે ઊઠીને નાસ્તામાં અલગ અલગ ચીજો ખાવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક તેઓ એવી વસ્તુઓનું સેવન કરી બેસે છે કે આરોગ્યને નુકસાન થાય છે. તેની સૌથી પહેલી અસર પેટ પર થાય છે. પાચનતંત્ર ધીમું થવાથી પેટ સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ બધી વસ્તુઓથી બચવા માટે સવારે સીધો નાસ્તો કરવાની જગ્યાએ કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ, તેનાથી શરીરને બધાં તત્ત્વ મળે અને આરોગ્યને ફાયદો પણ થાય.
તુલસીઃ
તુલસીમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ ગુણ ભરપુર માત્રામાં હોય છે. આવા સંજોગોમાં શરીર બીમારીઓથી બચવામાં મદદ કરે છે. આમ તો ઘણા લોકો ચામાં તુલસી પાન નાખીને તેનું સેવન કરે છે, પરંતુ સવારે ખાલી પેટ તુલસીનાં પાનનું સેવન કરવાથી ઇમ્યૂનિટી સ્ટ્રોંગ થાય છે અને સિઝનલ શરદી અને તાવમાં પણ ખૂબ જ ફાયદો થાય છે.
લીંબુ-મધઃ
રોજ સવારે હૂંફાળાં પાણીમાં લીંબુના રસનાં ટીપાં અને મધ મિક્સ કરીને પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. સાથે સાથે વજન પણ કન્ટ્રોલમાં રહે છે.
અજમોઃ
અજમામાં રહેલાં પોષક તત્ત્વ ખાવાનો સ્વાદ વધારવાની સાથે પેટને પણ તંદુરસ્ત રાખે છે. રોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી રાહત મળે છે. તેમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ ડાયાબિટિસ થવાના ખતરાને ઘટાડે છે. સાથે શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. ગ્રીન ટીઃ
જે લોકો પોતાનાં વધુ પડતાં વજનથી પરેશાન છે, તે લોકોએ તો ખાલી પેટ હર્બલ કે ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. તેનાં સેવનથી વેઇટલોસ થવાની સાથે સાથે ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનેે છે. બદામઃ
રોજ સવારે આખી રાત પલાળેલી બદામ ખાવાથી શરીરને જરૂરી તમામ પોષક તત્ત્વ યોગ્ય માત્રામાં મળે છે. આખો દિવસ શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ રહે છે.