કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એલાન કર્યું કે 3 મહિનામાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળ પર મંદિરનું નિર્માણ શરૂ થશે. તેઓએ મંદિર મુદ્દે પણ વિપક્ષ પર હલ્લાબોલ કર્યો છે.
રામમંદિરને લઈને ગૃહમંત્રીએ કરી જાહેરાત
3 મહિનામાં શરૂ થશે રામમંદિરનું કામ
વિપક્ષ પર શાહે કર્યા પ્રહાર
સેંકડો વર્ષ જૂના કેસમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળ લટકાવી રાખવા ઈચ્છતું હતું. મોદી સરકારના પ્રયાસથી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ઝડપી બની છે. અમારું જીવન ધન્ય છે કે અમારા જીવન કાળમાં અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર બનવા જઈ રહ્યું છે.
આ લોકોએ કર્યો છે રામ મંદિરનો વિરોધ
શાહ મંગળવારે અહીં બંગલા બજારમાં રામકથા પાર્કમાં સીએએના સમર્થનમાં આયોજિત રેલીમાં સંબોધન કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે અનેક વાર રામ મંદિર પણ સુનાવણીનો વિરોધ કર્યો. એ દિવસે આપણું જીવન ધન્ય થશે જ્યારે શ્રીરામ જન્મભૂમિ પર બનનારું ગગનચુંબી મંદિરમાં રામલલા વિરાજમાન થશે. શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બનનારા રામ મંદિરનો કોંગ્રેસ, અખિલેશ અને માયાવતી વિરોધ કરી રહ્યા છે.
500 વર્ષ પહેલાં ભગવાન રામનું મંદિર તોડી દેવાયું હતું
મંદિરના નિર્માણ માટે સતત આંદોલનો થઈ રહ્યા છે. મંદિરના નિર્માણને માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે. જ્યાં સુધી કોંગ્રેસ સરકાર હતી તેઓએ રામ મંદિરનું નિર્માણ થવા દીધું નથી.
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં રહેવા છતાં હાલમાં સુનાવણીમાં બાધા નાંખી હતી. શાહે કહ્યું કે જનતાએ 303 સીટની સાથે મોદીની સરકાર ફરી બનાવી તો કેન્દ્રના પ્રયાસથી સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં સુનાવણી ફરી શરૂ કરવામાં આવી છે.