SG હાઇવે પર ગોતા બ્રિજ નજીક BAPS સંસ્થાના મોટા મંદિરનું થશે નિર્માણ, નિજ મંદિર, મોટો સભાખંડ, પાર્કિંગની પણ રહેશે વ્યવસ્થા
BAPS સંસ્થાના નવા મંદિરનું નિર્માણ
ગોતા બ્રિજ પાસે જ થઇ રહ્યું છે નિર્માણ
ગત સપ્તાહમાં ભૂમિપૂજનની કામગીરી કરાઇ
અમદાવાદના SG હાઇવે પર BAPS સંસ્થાના નવા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે...ગોતા બ્રિજ પાસે જ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે...નિજ મંદિર, મોટો સભાખંડ, પાર્કિંગ સાથે મંદિરનું નિર્માણ થશે...ગત સપ્તાહમાં મંદિરના ભૂમિપૂજનની કામગીરી કરવામાં આવી હતી...શાહીબાગ મંદિર ખાતે ટ્રાફિકની સમસ્યા રહે છે...સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરનું સંચાલન હવે શાહીબાગના બદલે SG હાઇવે પરના મંદિરથી થશે
હરિભક્તોને ટ્રાફિકથી મળશે છુટકારો
BAPS સંસ્થાના શાહીબાગ ખાતે આવેલા મોટા મંદિરમાં ભક્તો દર્શન માટે લાઈનો લગાવે છે. મોટી સંખ્યામાં હરિભક્તો દર્શેને આવતા ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી હતી. મંદિર શહેરની વચ્ચે હોવાથી જવા આવવામાં થોડા વધુ સમયનો પણ બગાડ થઈ રહ્યો હતો. જે બાદ BAPS સંસ્થા નિર્ણય કરવામાં આવ્યો હતો કે શહેરની બહાર મંદિર ઊભું કરવામાં આવે ત્યારે અમદાવાદના SG હાઇવે પર BAPS સંસ્થાના નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જે માટે ગોતા બ્રિજનો વિસ્તાર પસંદ કારવામા આવ્યો છે.
નિજ મંદિર, મોટો સભાખંડ, પાર્કિંગ વ્યવસ્થા સાથે BAPS સંચાલિત ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય મંદિર બનશે. ગત સપ્તાહમાં મંદિરના ભૂમિપૂજનની કામગીરી આરંભી મંદિર બનાવવાના શ્રી ગણેશ કરાઇ ચૂક્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંદિરનું સંચાલન હવે શાહીબાગના બદલે SG હાઇવેના મંદિરથી કરવામાં આવશે. BAPSમાં માનનારા લાખો હરિભક્તોને મોટું મંદિર ગોતામાં બનવાથી મોટો ફાયદો થશે તેમજ કાયમી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવતા સમયનો વ્યય પણ અટકી જશે.