દેશના દરેક રાજ્ય, દરેક નાગરિકોને તેની યોગ્યતા અનુસાર નોકરી આપવામાં કોઈ પણ પ્રકારનો કોઈ ભેદભાવ ન કરી શકે.
આજે 72મો બંધારણ દિવસ
જાણો શું છે તમારા અધિકારો
દેશના નાગરિકોને કઈ સ્વતંત્રતા મળે છે?
આજે આપણો દેશ પોતાનો 72મો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. 26 નવેમ્બર, 1949ના દિવસે ભારતે પોતાના બંધારણનો સ્વીકાર કર્યો હતો. જ્યાર બાદ દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આઝાદ ભારતની આ બંધારણીય સભા બે મહિના બાદ એટલે કે 26 જાન્યુઆરી 1950એ લાગુ થઈ ગઈ હતી.
આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા ડૉ. ભીમ રાવ આમ્બેડકર દ્વારા આપવામાં આવેલા ભાષણનો એક ભાગ શેર કર્યો છે. આ અવસર પર આજે અમે તમને બંધારણમાં દરેક નાગરીકોને આપવામાં આવેલા અમુક અધિકારો વિશે જણાવી રહ્યા છીએ જેને તમારી પાસેથી કોઈ છીનવી ન શકે.
સ્વતંત્રતાનો અધિકાર
ભારતના બંધારણમાં દરેક ભારતીયને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે દેશના નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા મળે છે.
બોલવાની સ્વતંત્રતા
શાંતિપૂર્વક હથિયારો વગર એકત્રિત થવા અને સભા કરવાની સ્વતંત્રતા
સંઘ બનાવવાની સ્વતંત્રતા
દેશના કોઈ પણ ભાગમાં આવવા જવાની સ્વતંત્રતા
દેશના કોઈ પણ ભાગમાં રહેવાની આઝાદી
સંપત્તિનો અધિકાર
પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ પ્રકારના વ્યાપાર અને જીવિકા ચલાવવાની આઝાદી.
સમાનતાનો અધિકાર
દેશના દરેક નાગરીકો માટે એક જ કાયદો છે. જે હેઠળ કોઈ પણ વ્યક્તિની સાથે તેના ધર્મ, જાતિ, લિંગ વગેરેના આધાર પર ભેદભાવ ન કરવામાં આવે.
દેશના દરેક રાજ્ય, દરેક નાગરિકોને તેની યોગ્યતા અનુસાર નોકરી આપવામાં કોઈ પ્રકારનો કોઈ ભેદભાવ નહીં કરે. જણાવી દઈએ કે દેશની અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતી અને પછાત વર્ગ માટે નોકરીઓમાં આરક્ષણની જોગવાઈ છે.
શોષણ વિરૂદ્ધ અધિકાર
આ અધિકાર હેઠળ દેશના કોઈ પણ નાગરિકની ખરીદી, બંધુઆ મજૂરી અથવા આ પ્રકારનું કોઈ પણ કામ જે જબરદસ્તી કરાવવામાં આવતુ હોય તે દંડનીય અપરાધ માનવામાં આવે છે.
દેશના ઘણા બાળકો જેમની ઉંમર 14 વર્ષ અથવા તેનાથી ઓછી છે તો તેમની પાસેથી કોઈ પણ મજૂરી ન કરાવવામાં આવી શકે. આમ કરવું દંડનીય અપરાધ છે.
ધાર્મિક આઝાદી
દેશના ઘણા નાગરિક પોતાની ઈચ્છાનુસાર કોઈ પણ ધરમને માની શકે છે અને તેનો પ્રચાર પણ કરી શકે છે.
આ ઉપરાંત સ્કૂલ કે અન્ય શૈક્ષિક સંસ્થાનમાં કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મજબૂર ન કરી શકે.