કેરળના મંત્રી સાજી ચેરિયને ભારતના મહાન બંધારણ પર વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ પેદા કર્યો છે.
કેરળના મંત્રી સાજી ચેરિયનનું વિવાદીત નિવેદન
બંધારણ લોકોને લૂંટવા માટે છે તેવું કહ્યું
ચેરિયનના વિવાદીત નિવેદન પર ભાજપ ખફા
સીએમ વિજયન મંત્રીને બરખાસ્ત કરે- ભાજપની માગ
કેરળના મંત્રી સાજી ચેરિયને દેશના બંધારણ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે બંધારણની ટીકા કરતાં કહ્યું છે કે, તેમનું શોષણ કરનારાઓને માફ કરી દે છે. તેમણે કહ્યું કે બંધારણને એવી રીતે લખવામાં આવ્યું છે કે દેશના વધુને વધુ લોકોને લૂંટી શકાય.
શું બોલ્યાં મંત્રી ચેરિયન
ચેરીયને આ કાર્યક્રમમાં કહ્યું, "શોષણ માનવતાની શરૂઆતથી અસ્તિત્વમાં છે. વર્તમાન સમયમાં શ્રીમંત લોકો દુનિયા પર વિજય મેળવી રહ્યા છે. સરકારી તંત્ર આ પ્રક્રિયાની તરફેણમાં હોય તે સ્વાભાવિક છે. દરેક જણ કહેશે કે અમારી પાસે શ્રેષ્ઠ રીતે બંધારણ લખાયેલું છે પરંતુ હું કહીશ કે દેશનું બંધારણ એવી રીતે લખાયું છે કે વધુને વધુ લોકોને લૂંટી શકાય." ચેરિયને વધુમાં જણાવ્યું હતું કે અંગ્રેજો દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું હતું તે ભારતીયોએ લખ્યું છે. હું કહીશ કે દેશની જનતાને લૂંટવા માટે આ એક સુંદર બંધારણ છે. જોકે બંધારણમાં લોકશાહી અને ધર્મનિરપેક્ષતા જેવી કેટલીક સારી બાબતોના અંશ પણ છે, પરંતુ તેનો હેતુ સામાન્ય માણસનું શોષણ કરવાનો છે.
મંત્રીને બરખાસ્ત કરવાની વિપક્ષની માગ
કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વી.ડી. સતીસન સહિત ઘણા નેતાએ ચેરિયનના આ નિવેદનની ટીકા કરી છે. વી.ડી. સતીસને કહ્યું કે જો સીએમ વિજયન ચેરિયન સામે કાર્યવાહી નહીં કરે, તો અમે કાયદાનો આશરો લઈશું. ભાજપના કેજે આલ્ફોન્સે ચેરીયનના "ગેરબંધારણીય" નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કેરળના કેબિનેટ પ્રધાન, લોકોના પ્રતિનિધિ હોવાને કારણે, બંધારણની રક્ષા માટે શપથ લીધા હતા, તેમ છતાં તેઓ બંધારણની મજાક ઉડાવી રહ્યા હતા. ઠીક નથી. મુખ્ય પ્રધાન પિનરાય વિજયને તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ અથવા રાજ્યપાલને મુખ્યમંત્રીને ભલામણ કરવી જોઈએ કે તેઓ તેમના પ્રધાનને બરતરફ કરે.