પ્રસિદ્ધ બંધારણનાં જાણકાર અને લોકસભાનાં પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપે આજ થી બે વર્ષ પહેલાં જ સંયુક્ત સંસદીય સમિતિને સૂચવ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદામાં હિંદુ, શીખ, પારસી વગેરે ધર્મની જગ્યાએ માત્ર 'ઉત્પીડિત લઘુમતી' શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.
સુભાષ કશ્યપ મુજબ ધર્મની જગ્યાએ લઘુમતી શબ્દથી જ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેમ હતું
કશ્યપે કહ્યું કે આ કાયદાને કોર્ટમાં પડકારી શકાય
વિરોધનાં નામે હિંસક ઘટનાઓને કશ્યપે વખોડી નાખી
2016માં JPC સામે કશ્યપે સલાહ આપી હતી કે ઉત્પીડિત લઘુમતીમાં તે બધા જ સામેલ હશે જેમને સરકાર કાયદાનાં માધ્યમથી સુરક્ષા આપવા માંગે છે. કશ્યપે એક અખબારને કહ્યું કે 'મેં JPCને સલાહ આપી હતી કે હિંદુ શીખ ખ્રિસ્તી જેવા શબ્દોની કોઈ આવશ્યકતા નથી તે આ શબ્દો વગર પણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે તેમ હતા.
હવે માત્ર કોર્ટ અથવા સંસદમાં સંશોધન કરીને જ આ કાયદામાં કોઈ ફેરફાર કરી શકાય તેમ છે : કશ્યપ
નોંધનીય છે કે કશ્યપ સાતમી, આઠમી અને નવમી લોકસભાનાં મહાસચિવ તરીકે કશ્યપે જવાબદારી બજાવી હતી. તેમણે વધુમાં જાણકારી આપતાં કહ્યું કે હવે જ્યારે સંસદ દ્વારા આ બિલ પસાર કરી દેવામાં આવ્યો છે અને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષર બાદ તે કાયદો બની ચુક્યો છે ત્યારે હવે માત્ર કોર્ટ અથવા સંસદમાં ફરીથી આ કાયદામાં સંશોધન કરીને જ આ કાયદામાં કોઈ ફેરફાર કરી શકાય તેમ છે.
દેશમાં બંધારણ સંસદને સર્વોચ્ચ માને છે : કશ્યપ
નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં થઇ રહેલી હિંસાને પણ કશ્યપે વખોડી નાખી હતી. તેમણે પ્રદર્શન કરી રહેલા લોકોને ચેતવતા કહ્યું કે તેમણે યાદ રાખવું જોઈએ કે આ લોકતાંત્રિક દેશમાં બંધારણ સંસદને સર્વોચ્ચ માને છે. કશ્યપે કહ્યું કે આ કાયદાને કોર્ટમાં પડકારી શકાય છે અથવા તો લોકતાંત્રિક પદ્ધતિથી તેને સંસદનાં માધ્યમથી બદલી શકાય છે. કશ્યપે કહ્યું કે જે લોકો સંસદમાં વિરોધ કરી રહ્યા હતા તેમની પાસે બહુમત ન હતું પરંતુ જેમણે સંસદમાં વિરોધમાં સાથ ન આપ્યો અને હવે બહાર આવીને વિરોધ કરી રહ્યા છે તે માત્ર વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે.