અલીગઢઃ પ્રધાનમંત્રી મોદીએ અલીગઢમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ બાબસાહેબનાં સંવિધાનની જ તાકાત છે, દલિત સમાજથી નીકળીને એક સજ્જન રાષ્ટ્રપતિ પદ પર છે. આ બાબા સાહેબનું જ સંવિધાન છે કે આજે એક ચાયવાળો પણ પ્રધાનમંત્રી બની શકે છે. આપ તમામ લોકોનાં સહયોગથી બાબ સાહેબનાં બતાવેલા રસ્તા પર ચાલવાનો આ ચોકીદારે પ્રયાસ કર્યો છે. સબકા સાથ, સબકા વિકાસનાં મંત્ર પર સરકાર ચલાવી છે.
તેઓએ કહ્યું કે, ઉજ્જવલા યોજના અંતર્ગત મફ્ત ગેસ કનેક્શન આપવામાં આવેલ છે. તો આનો ફાયદો સૌને થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ ગરીબોને ઘર મળ્યાં છે. તો આનો ફાયદો પણ સૌને થયો. સૌભાગ્ય યોજના અંતર્ગત વિજળી કનેક્શન પણ દરેક પરિવારને મળ્યું. ચાહે તે કોઇ પણ જાતિનાં કેમ ના હોય.
પીએમ મોદીએ જણાવ્યું કે પોતાનાં સ્વાર્થની પૂર્તિ માટે, આવાં લોકોએ પશ્ચિમી ઉત્તરપ્રદેશનાં લોકોનાં દુઃખ-તકલીફો, તેનાં પર ગુજરીને બધું જ ભૂલાવી દીધું છે. પશ્ચિમી યૂપીમાં કેટલું મોટું પાપ થયું, પૂરો દેશ આનો સાક્ષી રહી ચૂકેલ છે. કેવી રીતે બહેન-દીકરીઓ સાથે દુર્વ્યવહાર થયો, કેવી રીતે લોકોને પોતાનું ઘર, પોતાનો વેપાર છોડવો પડ્યો આ દેશે જોયું છે. જ્યારે પશ્ચિમ યૂપી ભડકે બળી રહ્યું હતું ત્યારે તેનાંથી પીડિત લોકોનો અવાજ ન સાંભળનાર કોણ હતું જેવાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.