કાશ્મીરમાં ઉરીના તંગડાર સેક્ટરમાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળ્યા બાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. તેણે LoC પર તોપ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાન સતત પ્રયત્નમાં છે કે તે 31 ઓક્ટોબર પહેલાં જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના ઔપચારિક અને કેન્દ્ર શાસિત પ્રદેશના ગઠન પહેલાં આખા વિસ્તારમાં અશાંતિ ફેલાવી દે.
પાકિસ્તાનની નાપાક હરકતો હજુ પણ સક્રિય
ભારતના જડબાતોડ જવાબ બાદ પણ નથી સુધર્યું પાકિસ્તાન
LoC પર કરી રહ્યું છે હુમલાની તૈયારીઓ
31 ઓક્ટોબર પહેલાં ઘાટીમાં દહેશત ફેલાવવાની કોશિશમાં
પાકિસ્તાનની નાપાક હરકતો હજુ પણ સક્રિય
કાશ્મીરમાં ઉરીના તંગડાર સેક્ટરમાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં જડબાતોડ જવાબ મળ્યા બાદ પણ પાકિસ્તાન સુધરી રહ્યું નથી. રવિવારની સાંજથી ભલે પાકિસ્તાની સેનાએ પોતાની બંદૂકોને આરામ આપ્યો હોય, પરંતુ સૂત્રો જણાવે છે કે પાકિસ્તાની સેનાએ પોતાની તોપને એલઓસીની નજીક તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. ટેંકોને પણ સીમાની તરફ આગળ વધારવામાં આવી રહી છે.
પાકિસ્તાન અને ખાનગી એજન્સીઓમાં વધી રહ્યો છે ભય
પાકિસ્તાને સોમવારે એલઓસી પર પોતાના જવાનોની સંખ્યા વધારી દીધી છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ પાકિસ્તાનની સેના અને ખાનગી એજન્સીઓમાં ભય સીધી રીતે જોવા મળી રહ્યો છે. આ માટે કોઈ પણ મોટી નાપાક હરકત કરવાની તૈયારીમાં લાગી ચૂક્યુ છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનની સેના સૈન્ય શિવિર સહિત રહેણાંક ક્ષેત્રને નિશાન બનાવીને ગોળીબાર કરી શકે છે. આ સાથે એ માહિતિ પણ મળી રહી છે કે પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને ISIના અધિકારીઓએ LoCની મુલાકાત લીધી હતી.
અધિકારીઓએ LoCના જવાનોની મુલાકાત લીધી, વાતચીત કરી
આ અધિકારીઓએ મુલાકાત બાદ એલઓસી પર તૈનાત જવાનોની સાથે અને અધિકારીઓ સાથે પણ વાતચીત કરી. આ સાથે તેઓએ અનેક દિશા નિર્દેશ પણ જાહેર કર્યા છે. પાકિસ્તાનની સેનાની સતત ચાલી રહેલી હલચલને લઈને ભારતીય ખાનગી એજન્સીઓએ તેમની તરફથી કોઈ મોટા હુમલાની આશંકા વ્યક્ત કરી છે. કલમ 370 અને 35 એના હટાવ્યા બાદથી પાકિસ્તાન દરેક મોર્ચા પર કાશ્મીરના મુદ્દાને વિફળ સાબિત કરી રહ્યું છે. આ માટે તે આતંકીઓને કાશ્મીરમાં દખલ કરાવીને સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કલમ 370 હટાવવાને લઈને નારાજ છે પાકિસ્તાન
ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી દેવાના કારણે પાકિસ્તાની સેના અને આઈએસઆઈમાં ગુસ્સાનો માહોલ છે. આ કેસમાં દુનિયાના કોઈ મોટા દેશનો સાથ ન મળવાના કારણે પાકિસ્તાન હતાશ થયું છે. આ સાથે જ પાકિસ્તાને નિયંત્રણ રેખા પર 77 દિવસમાં 300થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. વાસ્તવિકતા તો એ છે કે પાકિસ્તાન આ ફાયરિંગની આડમાં શિયાળો શરૂ થતાં પહેલાં કાશ્મીરમાં આતંકીઓને ઘૂસાડવાની ફિરાકમાં છે. જો કે ભારતીય સેનાની બાજનજરના કારણે તે પોતાના આ કામમાં સફળ થઈ શકતું નથી.