બ્લાસ્ટ કેસમાં સરકાર તરફથી પક્ષ રાખનાર સુધીર બ્રહ્મભટ્ટે ચુકાદો આવતા મોટો ખુલાસો કરતા કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી મોદીજીની હત્યાનો પણ પ્લાન હતો
તત્કાલીન CM મોદીની હત્યાના કાવતરાનો ખુલાસો
બ્લાસ્ટ કેસના દોષિતનો કોર્ટ સમક્ષ ખુલાસો
કલમ 164 મુજબ આરોપીએ આપી જુબાની
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ તત્કાલીન CM મોદીની હત્યાના કાવતરાનો કોર્ટ સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો છે. કેસના દોષિતે કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું કે તત્કાલીન CM મોદીની પણ હત્યા કરવાનો પ્લાન હતો. વર્ષ 2010માં કલમ 164 મુજબ આરોપીએ જજ સમક્ષ જુબાની આપી હતી. જેમાં બ્લાસ્ટ કેસ બાદ તત્કાલિન CM મોદીની હત્યા કરવાનું હતું ષડયંત્ર હોવાનું કોર્ટને જણાવ્યું હતું.
એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ તત્કાલીન CM મોદીની હત્યા કરવાનું ષડયંત્રનો હોવાનો ખુલાસો કર્યો હતો: સુધીર બ્રહ્મભટ્ટ, સરકારી વકીલ
બ્લાસ્ટ કેસમાં સરકાર તરફથી પક્ષ રાખનાર સુધીર બ્રહ્મભટ્ટે મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું કે આજ રોજ સ્પેશિયલ જજ સી આર પટેલ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આપેલો છે તેમાં 2010માં આરોપીઓ દ્વારા જે તહોમત નામું કરવામાં આવેલુ તેમાં જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું પણ કાવતરું કરવામાં આવ્યું હતું. અને આ બાબતનો પુરાવો એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ IPC કલમ 164ના નિવેદનમાં આ હકીકતનો પણ ખુલાસો કર્યો હતો.જુઓ વીડિયો
38 આરોપીઓને ફાંસી 11 ને આજીવન કેદ
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષની લાંબી લડત બાદ આરોપીઓને આજે કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે.
મે જે દૂ:ખ સહન કર્યું છે હવે દોષિતોની માતાને ખબર પડશે: રાયપુરના મૃતક અંકિત મોદીની માતા
સિરિયલ બ્લાસ્ટમાં રાયપુરમાં એક માતાએ પોતાનો એકનો એક દિકરો ગુમાવ્યો હતો. આજે તે માતાએ તેમના દિકરાની દરેક ક્ષણને યાદ કરી છે. તેમને કહ્યુ કે, દિકરાને ગુમાવવાનુ દુ:ખ આજે દોષિતોની માતાને ખબર પડશે. આપને જણાવી દઈયે કે, સિરિયલ બ્લાસ્ટમાં અંકિત મોદી નામના વ્યક્તિનુ મોત થયુ હતુ. હવે બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓને ફાંસીની સજા મળી છે ત્યારે અંકિત મોદીની માતાને આજે ન્યાય મળ્યો છે.
મૃતકના પરિવાર અને સ્થાનિકોએ અર્પી શ્રદ્ધાંજલિ
વર્ષ 2008ની 26 જુલાઈનો દિવસ દેશ અને ગુજરાત ક્યારેય નહી ભુલી શકે. આ દિવસે અમદાવાદમાં એક બાદ એક 20 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આજે આ કેસના 49 આરોપીઓને સજા મળતાં રાયપુર ચકલા વિસ્તારમાં મૃત્યુ પામેલા 2 વ્યક્તિઓેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. રાયપુર ચકલામાં મૃતકોનુ સ્મારક પણ બનાવવામાં આવ્યુ છે. ત્યારે આજે આરોપીઓે સજા મળતાં મૃતકના પરિવાર અને સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
દેશ અને દુનિયાનો ઐતિહાસિક ચુકાદો આવ્યો: પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા અને 11 આરોપીને આજીવન કેદની સજાનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ન્યાયતંત્રએ આ ચુકાદાથી એક કડક દાખલો બેસાડ્યો છે. આ ચુકાદાને આવકારું છું.