મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લા કોર્ટનાં એડીજે અને તેમના દિકરાના મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. એડીજે મહેન્દ્ર ત્રિપાઠી અને તેમના મોટા દિકરા અભિયાન રાજ ત્રિપાઠીનું ફુડ પોઈઝનિંગ દરમિયાન નાગપુરમાં મોત નિપજ્યું હતુ.
સંધ્યા સિંહ નામની મહિલાએ તેમને 20 તારીખે કોર્ટની બહાર પિતાને લોટ આપ્યો
મહિલાને તેના પિતા અને ભાઈના મોત માટે જવાબદાર ગણાવી
આ મહિલા 10 વર્ષથી પિતાના સંપર્કમાં હતી
એડીજે મહેન્દ્ર ત્રિપાઠીના નાના દિકરા આશિષ રાજ ત્રિપાઠીએ એક મહિલાને તેના પિતા અને ભાઈના મોત માટે જવાબદાર ગણાવી છે. તેના પર તેમને મારવાનો આક્ષેપ કર્યો છે.
આશિષ રાજે કહ્યું કે સંધ્યા સિંહ નામની એક મહિલાએ પિતાને એક લોટ આપ્યો હતો. જેની રોટલી ખાધા પછી ત્રણેયની તબિયત ખરાબ થઈ હતી. જેમાં તેના પિતા અને ભાઈનું નિધન થયું હતુ. આ મહિલા 10 વર્ષથી પિતાના સંપર્કમાં હતી.
આશિષે ખુલાસો કરતા કહ્યું કેો પપ્પાને રસ્તામાં મને જણાવ્યું હતું કે દિકરા આ એજ લોટ છે જે એક સંધ્યા સિંહ નામની મહિલાએ તેમને 20 તારીખે કોર્ટની બહાર મંગાવીને આપીને કહ્યુ કે આ પંડિતે પુજા કરેલો છે. આ લોટ ઘરમાં સંપૂર્ણ ભેળવી દેજો આનાથી તમામનું સ્વાસ્થ્ય સારુ થશે અને સમૃદ્ધી આવશે. પપ્પાએ કહ્યું કે દિકરા આ એ જ લોટ છે. જેને મે ઘરના લોટમાં ભેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નાગપુરમાં રવિવારે પિતા- પુત્રનું મોત નિપજ્યુ હતું. સોમવારે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ પિતા- પુત્રના મોતથી ગામ શોકમાં ગરકાવ થઈ ગયુ હતુ.