પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નામથી ચાલી રહેલી 'Namo App' પર એક સર્વેક્ષણના માધ્યમથી 13 મુદ્દાઑ પર લોકો પાસે પ્રતિક્રિયા માંગી છે.
PM નરેન્દ્ર મોદીનું 'Namo App' પર સર્વેક્ષણ
ચૂંટણી પહેલા જાણી મતદારોના મનની વાત
13 જેટલા મહત્વના મુદ્દાઑને સાંકળી લઈ કરાયો છે સર્વે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'Namo App' પર એક સર્વેક્ષણના માધ્યમથી એ મુદ્દા પર સીધા જ લોકો પાસે પ્રતિભાવ માગ્યા છે જ્યાં ચૂંટણીના શંખનાદ સંભળાઈ ચૂક્યા છે. આ સર્વેક્ષણમાં પીએમ મોદીએ એ મતદારો પાસે પોતાનો મત માંગ્યો છે જે ચુંટણીના મતદાન સમયે અતિ મહત્વના હોય છે. પીએમ મોદીએ સરકાર દ્વારા કોરોનાથી ખરાબ થયેલી સ્થિતિ, અનુચ્છેદ 370, રામ મંદિરના નિર્માણ જેવા મહત્વના મુદ્દા પર લોકોની પ્રતિક્રિયા લેવાનું ચાલુ કર્યું છે. ઉત્તર પ્રદેશ અને બીજા 4 રાજ્યોમાં થોડાક જ મહિનામાં મહત્વની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા કરવામાં આવેલા આ સર્વેક્ષણમાંએ પણ પૂછવામાં આવ્યું છે કે તેમના ક્ષેત્રમાં 'વિપક્ષી એકતાનો પ્રભાવ પડશે કે નહીં?
શેર યોર ઓપિનિયનના શીર્ષક હેઠળ કરવામાં આવી રહેલા આ સર્વેક્ષણમાં એ પણ ટાંકવામાં આવ્યું છે કે મતદાન સમયે લોકો માટે સૌથી મોટું મત આપવાનું કારણ કયું છે.
1) દેશમાં પીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ
2) રાજ્ય સ્તરના સ્થાનિક મુદ્દાઑ
3)'વિપક્ષી એકતાનો પ્રભાવ પડશે કે નહીં?
4) રામ મંદિરના નિર્માણ, અનુચ્છેદ 370
13 જેટલા મહત્વના સવાલોને સાંકળી લેવાયા
આ રીતે લગભગ 13 મુદ્દાઓનો સમાવેશ કરી ચૂંટણી પહેલા લોકોના સર્વેક્ષણથી એક રાય લેવામાં આવી છે. જે સંકેત આપી રહ્યા છે આ સર્વેનો ઉપયોગ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં પણ ધ્યાને લેવામાં આવી શકે છે. આથી આગળની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરતી વખતે લોકોના મનમાં રહેલા સૌથી વધારે મહત્વપૂર્ણ વસ્તુઑને ધ્યાને લઈ શકાય.
હાલના ચર્ચિત મુદ્દાને પણ ધ્યાન અપાયું
નમો એપ પર ચાલી રહેલા આ સર્વેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાનૂન વ્યવસ્થાની સ્થિતિ, રામ મંદિર, તીન તલાક કાનૂન, અનુચ્છેડ 370, શિક્ષણ, કોરોના, વિકાસ, રોજગાર, સ્વચ્છતા, વીજળી અને રસ્તા તેમજ પ્રાથમિક ઢાંચાથી જોડાયેલા સવાલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રામ મંદિર અને કાનૂન વ્યવસ્થા જેવા મુદ્દાઑ ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે અતિ મહત્વના છે. તો એ તો નક્કી છે કે ભાજપ કોરોના વાયરસના વિષે પણ વિચારી રહી છે કેમ કે એક એ પણ સવાલ છે કે લોકો તેમના રાજ્યમાં થઈ રહેલા રસીકરણથી કેટલી હદે સંતુષ્ટ છે.
સરકારની કામગીરી પર સવાલ
વધુમાં આ સર્વેમાં એ પણ પૂછવામાં
આવ્યું છે કે શું પાછળ 4 વર્ષોમાં તેમના રાજ્યમાં સરકારી કલ્ચરમાં સુધારો આવ્યો છે કે નહીં? તેમજ રાજ્યના ભવિષ્યને લઈને અગાઉ કરતાં હાલની સરકાર આશાન્વિત છે કે નહીં? આ સિવાય મતદારોને એપ પર એ પણ સવાલ કરવામાં આવ્યો છે શું તે મતદાન વખતે જાતિ ધર્મ તેમજ કામને ધ્યાનમાં લે છે કે નહીં. આ સર્વેથી સાફ છે કે આવી રહેલા ચૂંટણીમાં લોકોએ સર્વેમાં આપેલા મતથી ઉમેદવારોની પસંદગીથી માંડી ચૂંટણી ઢંઢેરામાં આ વિગતનો ઉપયોગ કરવામાં આવે.
આમ પીએમ મોદીના અનોખા વિચારથી સંભવિત સ્થિતિનો તાગ મેળવી શકવામાં સફળતા મળશે અને પહેલાની જેમ વિપક્ષને આ સર્વે બાદ ચારોખાને ચિત્ત કરવાનો ભાજપને મોકો મળશે