અમદાવાદ પૂર્વમાંથી મેયર બને તેવી શક્યતા દેખાઈ રહી છે. મેયર પદ માટે ખોખરામાંથી જીતેલા ચેતન પરમાર પ્રબળ દાવેદાર હોવાની પણ ચર્ચા છે.
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત
અમદાવાદમાં મેયરપદને લઇને મંથન શરૂ
મનપામાં પ્રથમ અઢીવર્ષ માટે મેયર પદ SC માટે અનામત
અમદાવાદ સહિત ગુજરાતની 6 મનપામાં ભાજપે પોતાની જીત યથાવત્ રાખી હતી. જે બાદ હવે મેયર પદ માટે મંથન શરૂ થઈ ચૂક્યું છે. મનપામાં પ્રથમ અઢીવર્ષ માટે મેયર પદ SC અનામત છે. તો અમદાવાદ પૂર્વમાંથી મેયર બને તેવી શક્યતા દેખાઈ રહી છે. મેયર પદ માટે ખોખરામાંથી જીતેલા ચેતન પરમાર પ્રબળ દાવેદાર હોવાની પણ ચર્ચા છે.
ચેતન પરમાર શહેર પ્રમુખ જગદીશ પંચાલના નજીકના મનાય છે. કિરીટ પરમાર પણ મેયરપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વોર્ડમાંથી ચૂંટણી જીત્યા છે. પશ્ચિમ વિસ્તારમાંથી વાસણા વોર્ડના હિમાશું વાળા પણ મેયર પદની રેસમાં છે. જ્યારે હિમાંશુ વાળા ST-SC યુનિયનના મહામંત્રી રહી ચૂક્યા છે.