મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે તેના એક આદેશમાં કહ્યું છે કે જો પ્રથમ લગ્ન જાહેર કર્યા વિના બીજા લગ્ન કરીને સેક્સ માટે સહમતી લેવામાં આવે છે, તો તે પ્રથમ દૃષ્ટિએ બળાત્કાર સમાન હશે.આ સાથે હાઈકોર્ટે મરાઠી અભિનેત્રી દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં 'પતિ'ને મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે.જસ્ટિસ એનજે જમાદારની સિંગલ બેંચ આરોપી સિદ્ધાર્થ બંથિયા દ્વારા એડિશનલ સેશન્સ જજના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. દરમિયાન એડિશનલ સેશન્સ જજે પણ આરોપીની અરજી ફગાવી દીધી હતી.
અખબારમાં પતિની બીજી પત્ની સાથે છપાયો હતો ફોટો
મહત્વનું છે કે, ફરિયાદી વ્યવસાયે મરાઠી અભિનેત્રી છે. અખબારમાં આરોપી સિદ્ધાર્થ બંથિયા અને તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણીની તસવીરો સામે આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પછી અભિનેત્રીએ તેની પ્રથમ પત્ની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. અભિનેત્રીના જણાવ્યા મુજબ, તે 2008 માં સિદ્ધાર્થ બંથિયાને મળી હતી અને 2010 માં લગ્ન કર્યા હતા. સપ્ટેમ્બર 2013માં એક મહિલાએ દાવો કર્યો હતો કે તે સિદ્ધાર્થ બંથિયાની પત્ની છે અને તેના બે બાળકો છે. બાદમાં જ્યારે અભિનેત્રીએ પતિને પૂછપરછ કરી તો તેણે છૂટાછેડાના બનાવટી દસ્તાવેજો બતાવ્યા. લગભગ એક વર્ષ પછી, જ્યારે અભિનેત્રીને સત્યની જાણ થઈ, ત્યારે તેણે તેના પતિ વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડી સહિત IPCની 10 કલમો હેઠળ કેસ દાખલ કર્યો.
આરોપીનો દાવો - ફોટો ફિલ્મમાં શૂટ કરવામાં આવ્યો હતો.
આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમની વચ્ચેના સંબંધો સહમતિથી હતા અને તેમના લગ્ન થયા ન હતા, પરંતુ લગ્નની તસવીરો ફિલ્મમાં શૂટ કરવામાં આવી હતી. તેની સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે તેની સામેના આરોપો વિરોધાભાસી છે અને સ્પષ્ટ નથી. આથી તેને આરોપોમાંથી નિર્દોષ છોડવો જોઈએ