લાંબા સમયથી રાજસ્થાનમાં ચાલી રહેલું ગુર્જર આંદોલન પૂર્ણ થયું છે. સરકાર અને કમિટી વચ્ચે 8 મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. અનામતની માંગને લઈને સરકાર અને કમિટીએ સહમતિ સાધી છે. આ સાથે રાજ્ય સરકારે સહમતિ પત્ર જાહેર કર્યો છે. ગુર્જર આંદોલનના કેસ રાજસ્થાન સરકાર પરત લેશે અને મૃતક આંદોલનકારીઓના પરિવારજનોને સરકારી નોકરી પણ અપાશે.
રાજસ્થાનમાં ગુર્જર આંદોલન પૂર્ણ
સરકાર અને કમિટી વચ્ચે સહમતિ
8 મુદ્દાઓ પર સહમતિ થઇ
સબ કમિટી અને ગુર્જર સંઘર્ષ સમિતિની વચ્ચેની વાર્તામાં સહમતિ બની છે. કુલ 8 મુદ્દાઓ પર સહમતિ બની છે. ગુરુવારે ગુર્જર સંઘર્ષ સમિતિના નેતા કર્નલ કિરોડી સિંહ બૈસલા ભરતપુરના પીલૂપુરામાં રેલના પાટા પર જઈને કરશે. અહીં આંદોલનકારીઓ છેલ્લા 2 અઠવાડિયાથી પાટા પર બેઠા છે.
राजस्थान के भरतपुर में चल रहा गुर्जर समुदाय के लोगों विरोध प्रदर्शन खत्म हुआ। गुर्जर नेता विजय बैंसला ने कहा, "राज्य सरकार के साथ सकारात्मक चर्चा हुई, हम दिवाली घर पर मनाएंगे।" गुर्जर नेता किरोड़ी सिंह बैंसला कल रात मुख्यमंत्री अशोक गहलोत से मिले थे।
આ પહેલાં બુધવારે ગુર્જર સમાજનું પ્રતિનિધિમંડળ જયપુર પહોંચ્યું હતું. રાજ્ય સરકારે કરાર પત્ર પણ તૈયાર કર્યું હતું. 5 માર્ગ પર ગુર્જર સમાજની સહમિત બની છે. મૃત્યુ પામેલ 3 આંદોલનકારીઓના પરિવારને સરકારી નોકરી મળશે. આંદોલનના કેસ સરકાર પરત લેશે. નવી અનુસુચિમાં સામેલ કરવા માટે કેન્દ્રને ગહેલોત સરકાર પત્ર પણ લખશે.
આંદોલન કરવા મજબૂર હતો સમુદાય
આ સિવાય દેવનારાયણ યોજનાના ક્રિયાન્વયન પર સહમતિ બની છે. એમબીસીના 1252 લોકોને નિયમિત વેતન શ્રુંખલાના સમકક્ષ સમસ્ત લાભ મળશે, રાજસ્થાનમાં આરક્ષણની માંગને લઈને ગુર્જર સમુદાયનું આંદોલન અનેક દિવસોથી ચાલી રહ્યું હતું. આંદોલનકારીઓનું કહેવું છે કે સરકારની બેવડી નીતિના કારણે લગભગ 35 હજાર ગુર્જરોને નોકરી મળી રહી નથી અને આ કારણે જ અમે આંદોલન કરવા મજબૂર બન્યા હતા.